(જયશીલ પટેલ,ઝઘડીયા)
ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારમાં રેતી માફિયાઓ બેકાબું બન્યા છે,બેકાબૂ બનેલા રેતી માફિયાઓ પર તાલુકા,જીલ્લાના જવાબદાર વહીવટી તંત્રના ચાર હાથ હોવાના કારણે તેઓ સરકારી મિલકતોને નુકસાન કરવાનુ અને સ્થાનિકોને પણ હેરાન કરવાનો છોડતા નથી, ઝઘડિયા તાલુકાના ઈન્દોર ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં લીઝ સંચાલકો દ્વારા ગેરકાયદેસર રીતે રસ્તો બનાવી ૨૪ કલાક આડેધડ ઓવરલોડ તેમજ પાણી નીતરતી રેતીનું વહન કરવામાં આવતું હતું.જેના પગલે ગામના અન્ય રસ્તાઓ પણ ખરાબ થતા હતા અકસ્માતની ભીતી સેવાતી હતી અને સ્થાનિકો પણ હેરાન થતા હતા.આ બાબતે છ માસ અગાઉ ઈન્દોર ગામના હબીબભાઈ ખોખર નામના ઈસમે જીલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.ત્યાર બાદ ભરૂચના સાંસદે પણ આ બાબતે જીલ્લા કલેકટરને પત્ર લખી રસ્તો બંધ કરવા માટે જણાવ્યું હતું.ત્યાર બાદ હબીબ ખોખરે ચાલુ માસે પણ જીલ્લા કલેકટરને તથા મુખ્યમંત્રીને ઓનલાઈન ફરિયાદ આપી હતી.જેના પગલે જવાબદાર અધિકારીઓ આળસ ખંખેરી ઉભા થયા હતા.ગતરોજ ઈન્દોર પંથક માંથી પણ ગેરકાયદેસર રેતી ખનન કરતાં સાધનો વાહનો તથા ટ્રકો કબ્જે કરવામાં આવી હતી.જ્યારે છ માસ અગાઉ હબીબ ખોખરે કરેલી રસ્તો બંધ કરવાની ફરિયાદના પગલે આજ રોજ તાલુકા પંચાયત દ્વારા ઈન્દોર ગ્રામ પંચાયતની ગૌચરની જમીનમાં રેતી માફિયા દ્વારા બનાવવામાં આવેલો ગેરકાયદેસર રસ્તો બંધ કરવામાં આવ્યો છે.તાલુકા પંચાયતના અધિકારીઓ દ્વારા રસ્તાની વચ્ચે ખોદકામ કરી રસ્તો બંધ કરવામાં આવતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો.
Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is