best news portal development company in india

વાગરા તાલુકા ખાતે ૧૦ જેટલી નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ કરાયું

SHARE:

ભરૂચ,
ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં એક સાથે ૧૦ જેટલી નવનિર્મિત આંગણવાડી કેન્દ્રોનું લોકાર્પણ તાલુકા પ્રમુખશ્રી ભુપતસિંહ વાઘેલા અને અન્ય મહાનુભાવોના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.
ગુજરાત કેમિકલ પોર્ટ લિમિટેડ દ્વારા વાગરા તાલુકાના પહાજ, ઓચ્છણ, બદલપુરા, વાગરા-૧, વસ્તિખંડાલી-૧ અને વસ્તિખંડાલી-૨, પિપલીયા, સડથલા, કોઠિયા, ખોજબલના એમ કુલ ૧૦ જેટલી આંગણવાડી કેન્દ્રનું અદ્યતન માળખાકિય સુવિધા સાથેનું બાંધકામ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં આંગણવાડી કેંદ્રનું મહત્વ સુવિધાઓ તેમજ સરકારની વિવિધ યોજનાઓનો વધારેમાં વધારે લોકો લાભ લે તેમ ડિસ્ટ્રીક્ટ કો-ઓપરેટિવ મેનેજર અજયસિંહ રાણાએ આહવાન કર્યું હતું.તેમજ GCPL MD શૈલેશ નિગમજી દ્વારા આંગણવાડી કેન્દ્રો તમામ બાળકો લાભ લે તેવી અભ્યર્થતા વ્યકત કરી હતી.આંગણવાડીના બાળકોને મહાનુભવોના વરદ હસ્તે પ્રોત્સાહનરૂપે શિક્ષણ કિટ આપવામાં આવી હતી.
આ પ્રસંગે આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ ઓફિસર કશ્મિરા સાવંત,મામલતદાર વાગરા,સી.ડી.પી.ઓ વાગરા, GCPL CSR મેનેજર કપિલ પટેલ અને ટીમ તથા આઈ.સી.ડી.એસ ટીમ વાગરા,આંગણવાડી નવનિર્માણ થયેલ ગામના સરપંચઓ તથા તાલુકા પંચાયતના સદસ્યો અને ગ્રામજનોની હાજરીમાં લોકર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!