ભરૂચ,
તિબેટની સ્વતંત્રતા માટે અને ચીનના અત્યાચાર સામે વિશ્વમત જાગૃત કરવાના ધ્યેય સાથે તિબેટીયન યુથ કોંગ્રેસ દ્વારા અરુણાચલથી શરૂ થયેલી બાઇક રેલી ભરૂચ આવી પહોંચતા તિબેટીયન સમાજે ભવ્ય સ્વાગત કર્યું હતું.
તિબેટીયન યુથ કોંગ્રેસે તિબેટની આઝાદી માટે વિશ્વ મત જાગૃત કરવાના આશય સાથે ૨૨ મી નવેમ્બર ૨૦૨૪ના રોજ અરુણાચલ પ્રદેશના બુમલા પાસથી એક બાઈક રેલીનું આયોજન કર્યું છે.જે ભારતના ૧૯ રાજ્યોમાં ૧૫,૦૦૦ કિલોમીટરનું અંતર કાપશે અને તે દ્વારા તિબેટમાં ચીની સામ્યવાદી શાસન દ્વારા થઈ રહેલા અત્યાચારો સામે વિશ્વનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરશે.આ બાઈક રેલી ભરૂચના તિબેટિયન માર્કેટ ખાતે આવી પહોંચતા સ્થાનિક તિબેટીયન સમાજે તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
તિબેટીયન યુથ કોંગ્રેસના પ્રમુખ ગોન્પો ધોડૂપે જણાવ્યું કે ચીન તિબેટની સંસ્કૃતિ અને ઓળખને નષ્ટ કરવા માટે અત્યાચાર કરી રહ્યું છે.તેમાં તિબેટીયન બાળકોને બળજબરીથી બોર્ડિંગ સ્કૂલોમાં મોકલવા, સાંસ્કૃતિક શિક્ષણ પર પ્રતિબંધો અને તિબેટીયન ભાષાના રક્ષકોની ધરપકડનો સમાવેશ થાય છે.૧૯૫૯ માં ચીન દ્વારા તિબેટના બળજબરીપૂર્વક કબજા બાદ, ભારત – તિબેટ સરહદ પર પણ જોખમ ઊભું થયું છે.રેલી દરમિયાન સહભાગીઓ સંસદ સભ્યો,વિધાનસભા સભ્યો અને તિબેટ સમર્થક જૂથો સાથે મુલાકાત કરાશે તિબેટીયન યુથ કોંગ્રેસ ભારત સરકારને તિબેટની સ્વતંત્રતાને સમર્થન આપવા અને ભારત-તિબેટ સરહદને માન્યતા આપતો ઠરાવ પસાર કરવા આહ્વાન કરે છે.”તિબેટ માટે સ્વતંત્રતા, ભારત માટે સુરક્ષા” એ તેમનું મુખ્ય સૂત્ર છે હોવાનું પણ તેઓએ કહ્યું હતું.
આ પ્રસંગે ભરૂચ તિબેટીયન રેફ્યુજી માર્કેટના અગ્રણીઓ સહિત પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is