(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા વહીવટી નર્મદાના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૫ એકતા નગર નર્મદાને આંગણે સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાયો હતો.જેમાં ૧૩ દેશના ૩૪ અને ભારતના ૩૧ મળી કુલ ૬૫ પતંગબાજોએ ભાગ લીધો હતો.
નર્મદા ડેમના વ્યૂ-પોઈન્ટ ખાતેપતંગોત્સવનું દીપ પ્રગટાવી ફુગ્ગાઓ ઉડાડી પતંગોત્સવને નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખ,જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસીંગ ભાઈ તડવીએ ખુલ્લો મુક્યો હતો.
નર્મદા જિલ્લા વહિવટીતંત્ર,ગુજરાત પ્રવાસન નિગમ-ગાંધીનગર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે સરદાર સરોવર નર્મદા બંધના વ્યૂ પોઈન્ટ-૧ ખાતે યોજાયેલા આ પતંગોત્સવમાં ૧૩ દેશના ૩૪ અને ભારતના ૩૧ મળી કુલ ૬૫ પતંગબાજોએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો જેમાં કેરાલા બિહાર કર્ણાટક દિલ્હીયુક્રેન, જાપાન જર્મની, ઈસ્ટોનિયા ચીલી, કેનેડા કંબોડીયા બ્રાઝીલ બેલજીયમ ઓસ્ટ્રેલિયા આરજેટીના પતંગ બાજોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.દેશનાને વિદેશના પતંગ બાજુનું જેમનું ભારતીય સંસ્કૃતિ પરંપરા મુજબ પુષ્પગુચ્છથી સ્વાગત કરાયું હતું.
આ પ્રસંગેનાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે વડઆ મહોત્સવથી દેશ-વિદેશના પતંગબાજોના અવનવા પતંગોના કરતબો માણવાનો અદભૂત અવસર પ્રવાસીઓને તક મળશે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is