(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફીસંત હઝરત બાવાગોરની દરગાહ શરીફના વાર્ષિક ઉર્સની આજરોજ તા.૧૨ ના રોજ પરંપરાગત ભવ્ય ઉજવણી કરવામાં આવી. ઉલ્લેખનીય છેકે ૮૦૦ વર્ષ જુના આ ધાર્મિક સ્થળે વર્ષમાં બે વાર મેળાના આયોજન કરવામાં આવે છે.જેમાં દરવર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરૂવારે દરગાહ શરીફનો ચસ્મો (પાણીનો કુંડ) વધાવવાના દિવસે ભરાતો મેળો અને ઇસ્લામી રજબ મહિનામાં દરગાહના વાર્ષિક ઉર્સના દિવસે ભરાતા મેળાનો સમાવેશ થાય છે.ઉર્સના આગલા દિવસે દરગાહ શરીફે સંદલ ચઢાવવાની વર્ષો જુની પ્રણાલી મુજબ સંદલ શરીફની રસ્મ અદા કરવામાં આવે છે. દરગાહના હાલના ગાદી વારસ હઝરત જાનુબાપુની ઉપસ્થિતિમાં આજરોજ દરગાહના ઉર્સની ઉજવણી કરવામાં આવી હતી.રાજપારડી પોલીસના જવાનોએ ચુસ્ત બંદોબસ્તની જાળવણી કરી હતી.ઉર્સના દિવસે ભરાયેલ મેળામાં પ્લાસ્ટિકની વિવિધ વસ્તુઓ,રમકડા,સ્ત્રી શ્રુંગારની વસ્તુઓ વિવિધ ઘર ઉપયોગી વસ્તુઓ વેચનાર વેપારીઓએ સ્ટોલ ઉભા કર્યા હતા.અત્રે ઉલ્લેખનીય છેકે હઝરત બાવાગોરની દરગાહે દરરોજ મોટી સંખ્યામાં લોકો દરગાહના દર્શનાર્થે આવે છે,અને ગુરૂવાર અને રવિવારના દિવસોએ દરગાહે મોટું માનવ મહેરામણ ઉમટે છે.હઝરત બાવાગોરની દરગાહની ભારતના અગ્રગણ્ય ધાર્મિક સ્થળોમાં થાય છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is