(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપળા ખાતે નર્મદા યોજનાના અસરગ્રસ્ત પરિવારોએ નાંદોદના ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખને મહત્વપૂર્ણ રજૂઆત કરી છે.અસર ગ્રસ્તોની માંગ છે કે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અસરગ્રસ્ત પરિવારોની જેમ ગુજરાતના અસરગ્રસ્તોને પણ વળતર આપવાની માંગ કરી છે.
સરદાર સરોવર નર્મદા ડેમના મુખ્ય આગેવાન બાલુભાઈ તડવી, પ્રવિણભાઈ તડવી,મહેશ તડવી તેમજ અલગ અલગ જિલ્લા નર્મદા વસાહતના આગેવાન સાથે ધારાસભ્યશ દર્શનાબેન દેશમુખ સાથે મીટીંગ થઈ હતી.જેમાં ગુજરાત ના નર્મદા ડેમના અસરગ્રસ્ત પરિવારને નોકરી તેમજ કટ ઓફ ડેટના લાભો બાબતની ચર્ચા થઈ હતી.
રજૂઆતમાં જણાવ્યું છે કે અગાઉ અસરગ્રસ્તોને ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શબ્દશરણ તડવીએ લેખિત બાંહેધરી આપવાનું વચન આપ્યું હતું.પરંતુ આ બાંહેધરી ન મળતાં ફરી ઉપવાસ આંદોલન કરવું પડ્યું હતું.એ ઉપરાંત સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ મધ્યપ્રદેશના ૬૮૧ અસરગ્રસ્ત પરિવારોને ૬૦ લાખ રૂપિયા અને ૧૩૫૮ પરિવારોને ૧૫ લાખ રૂપિયાનું વળતર મળ્યું છે.મહારાષ્ટ્રના અસરગ્રસ્તોને ૨૦૦૫ સુધીમાં ગુજરાતના માર્ગદર્શન હેઠળ તમામ લાભો આપવામાં આવ્યા છે.તો ગુજરાતના અસરગ્રસ્તોને પણ વળતર કેમ નહીં? એવી માંગ ઉઠી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is