(સંજય પટેલ,જંબુસર)
જંબુસર તાલુકાના જંબુસર તથા ગજેરા સેજાના આંગણવાડી કેન્દ્ર દ્વારા સ્વરાજ ભવન ખાતે પોષણ ઉત્સવ ૨૦૨૫ ની ભવ્ય ઉજવણી ટી એચ ઓ ઓમકારનાથ દેસાઈના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી.જેમાં નગરપાલિકા પ્રમુખ અમિષાબેન શાહ સહિત આરોગ્ય સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સરકાર દ્વારા કુપોષણ નાબૂદ કરવા અથાક પ્રયત્નો કરી પોષણયુક્ત આહાર ધાત્રી માતા, સગર્ભા બહેનો, કિશોરીઓ તથા બાળકોને મળી રહે તે માટે સરકારની વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને લાભ આપવામાં આવે છે અને તે લાભાર્થી સુધી પહોંચે તે માટે સુપરવાઈઝર નઝમાબેન સહિત સેજાની આંગણવાડી બહેનો સતત કાર્યશીલ રહે છે.આ પ્રસંગે કિશોરીઓને પોષણ અંગે સવિસ્તાર માહિતી સાથે સમજ આપવામાં આવી હતી. આજની આ ભાગદોડ વાળી જિંદગીમાં બહારનું ખાવાનું ટાળવું જોઈએ, ઘરે બનાવેલ પૌષ્ટિક આહાર લેવો જોઈએ તથા પૌષ્ટિક મિલેટ્સ આધારિત જાડા ધાન્ય બાજરી, રાગી, કાંગ, જુવાર, કોદરા સહિતની વાનગી અંગે સુંદર માહિતી આપી દરેકે ઉપયોગ કરવા જણાવ્યુ હતુ.બાળકોને બહારના ફૂડ પેકેટ ન ખાવા દેવા તથા કિશોરીઓ આંગણવાડી વર્કરો માતાઓની લોહી તપાસ કરાવવા જણાવ્યું હતું અને જંબુસર તથા ગજેરા સેજાની તમામ આંગણવાડી કેન્દ્ર દ્વારા વિવિધ વાનગીનું નિદર્શન કરવામાં આવ્યું હતું.જેને ઉપસ્થિત મહેમાનોએ નિહાળ્યું હતું તથા કિશોરીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.તથા ટીએચઆર અને મીલેટ્સ માંથી બનાવેલ વાનગી માંથી એકથી ત્રણ નંબર વિજેતા બહેનોને પ્રમાણપત્ર તથા ઈનામ વિતરણ કરવામાં આવ્યા હતુ.કાર્યક્રમનું સંચાલન આંગણવાડી વર્કર સુશીલાબેન દ્વારા તથા આભાર વિધિ ભાવનાબેન દ્વારા કરવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is