- જીઆઈડીસીમાં અન્ય કંપનીઓમાં પણ જો સઘન તપાસ હાથ ધરાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવવાની સંભાવના : કંપનીઓમાં કામદારો સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરોમાં કેટલા કાયદેસર છે?
(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઔદ્યોગિક વિસ્તારોમાં ધબકી રહેલ વિવિધ ઔદ્યોગિક કંપનીઓમાં કામદારો સપ્લાય કરતા લેબર કોન્ટ્રાક્ટરો તેને યોગ્ય નિયમો જાળવતા નથી,એવી વાતો બહાર આવી રહી છે.ત્યારે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે જીઆઈડીસીની એક કંપનીમાં પોલીસ વેરિફિકેશન વિના કામદારો મુકનાર લેબર કોન્ટ્રાક્ટર વિરુધ્ધ ગુનો દાખલ કર્યો હતો.
મળતી વિગતો મુજબ ઝઘડિયા જીઆઈડીસી પીએસઆઈ પી.કે.રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ દરમ્યાન ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલ એબોટ હેલ્થકેર નામની કંપનીમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારોની તપાસ કરતા પાંચ પર પ્રાંતિય કામદારો પણ જણાયા હતા.કોન્ટ્રાક્ટરના સાઈડ સુપરવાઈઝરને પુછતા સદર કોન્ટ્રાક્ટના જવાબદાર ઈન્ચાર્જ યતીનકુમાર રજનીકાંત ભાટીયા રહે.આશ્રય સોસાયટી નંદેલાલ રોડ ભરૂચના હોવાનું જણાયું હતું.આ કોન્ટ્રાક્ટરના અંડરમાં કામ કરતા પર પ્રાંતિય કામદારોનું સ્થાનિક પોલીસ મથકમાં કે ભરૂચ એસઓજીમાં પોલીસ વેરિફિકેશન નહિ કરાવેલ હોવાનું પોલીસને તપાસ દરમ્યાન જણાયું હતું.આને લઈને સરકારી જાહેરનામાનો ભંગ થતો હોઈ ઝઘડિયા જીઆઈડીસી પોલીસે સદર કોન્ટ્રાક્ટના જવાબદાર ઈન્ચાર્જ યતીનકુમાર ભાટીયા વિરુધ્ધ ગુનો દાખલ કરી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.
ઉલ્લેખનીય છે કે ઝઘડિયા જીઆઈડીસીની વિવિધ કંપનીઓમાં કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા પર પ્રાંતિય કામદારોની સંખ્યા મોટી હોવાનું જાણવા મળેલ છે, કંપનીઓમાં લેબર સપ્લાય કરતા કોન્ટ્રાક્ટરો યોગ્ય રીતે નિયમોની જાળવણી કરતા નથી તે આ ઘટનાથી સાબિત થાય છે,વળી જીઆઈડીસીમાં કાર્યરત આવા લેબર કોન્ટ્રાક્ટરોમાં કેટલા કોન્ટ્રાક્ટરો કાયદેસરતા ધરાવે છે અને કેટલા નિયમોનું પાલન કરે છે,એ બાબતે પણ સઘન તપાસ હાથ ધરાય તો ઘણી ગેરરીતિઓ બહાર આવે તેવી સંભાવના રહેલી છે.ઉપરાંત કોન્ટ્રાક્ટ બેઝ પર કામ કરતા કામદારોને સરકારી નિયમ મુજબ વેતન ચુકવાય છે કે પછી તેમનું શોષણ તો નથી થતુંને ? એવી ચર્ચાઓ સાથે વિવિધ સવાલો તાલુકાની જનતામાં ઉઠી રહ્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is