(જયશીલ પટેલ,ઝઘડિયા)
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકામાં રોજ કોઈને કોઈ અકસ્માતની ઘટના સામે આવતી હોય છે.તાલુકામાં અકસ્માત વિના મોટા ભાગે કોઈ દિવસ ખાલી નહિ જતો હોય એમ હાલ કહીએ તો પણ ખોટું નહી લેખાય ! તાલુકા માંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતા ધોરીમાર્ગ સહિત અન્ય ગ્રામિણ માર્ગો પર થતા અકસ્માતોમાં દિવસે દિવસે નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે.ત્યારે તાલુકા મથક ઝઘડિયા ખાતે એમ મોટર સાયકલ ચાલકે અડફેટમાં લેતા એક ચાલતા જતા ઈસમને ઈજાઓ થતા ઈજાગ્રસ્ત ઈસમને સારવાર માટે ભરૂચ લઈ જવાયો હતો.અકસ્માતની આ ઘટના સંદર્ભે ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા નવીનગરીમાં રહેતા કાંતિભાઈ વેચાણભાઈ વસાવા ફળિયામાં આવેલ મંદિર પાસે બેસવા ગયા હતા.ત્યાર બાદ તેઓ સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં ઘરે પરત ફરતા હતા તે દરમ્યાન રાજપારડી તરફથી આવી રહેલ એક મોટર સાયકલ ચાલકે કાંતિભાઈને અડફેટમાં લેતા કાંતિભાઈ રોડ ઉપર પડી ગયા હતા.આ અકસ્માત દરમ્યાન કાંતિભાઈને માથાના પાછળના ભાગે ઈજા થઈ હતી તેમજ કાન માંથી લોહી નીકળતું હતું.ઈજાગ્રસ્ત કાંતિભાઈને સારવાર માટે અવિધા સરકારી દવાખાને લઈ જવાયા હતા.જ્યાંથી વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાયા હતા.અકસ્માત સંદર્ભે ઈજાગ્રસ્ત કાંતિભાઈ વસાવાના પુત્ર રાહુલ વસાવાએ અકસ્માત કરનાર મોટર સાયકલ ચાલક નવાજ શબ્બિરભાઈ મલેક રહે.રતનપુર તા.ઝઘડિયા જી.ભરૂચના વિરુધ્ધ ઝઘડિયા પોલીસ મથકમાં ફરિયાદ લખાવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is