ભરૂચ,
ભારતમાં મૈત્રીની ઘણી વાતો પ્રચલિત છે ત્યારે ભરૂચના ઝાડેશ્વર સ્થિત શ્રી કનક બિહારી રામજાનકી આશ્રમ ખાતે મિત્રમિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
કુંડળી જોયા વગર પણ જોડાયેલા રહે તે મિત્ર, ભારતમાં મૈત્રીની ઘણી વાતો પ્રચલિત છે, જ્યારે ઉદાહરણ આપવાની વાત આવે ત્યારે સૌને કૃષ્ણ-સુદામાની મિત્રતા યાદ આવે છે.હાલના સમયમાં મિત્રો સોશ્યલ મીડિયા થકી વધુ જોડાયેલા જોવા મળે છે,તેવા મિત્રોના સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભરૂચના ઝાડેશ્વર નર્મદા તટે આવેલ શ્રી કનક બિહારી રામજાનકી સંકટમોચન હનુમાન મંદિર ખાતે મિત્ર મીલનનો કાર્યક્રમ મંદિરના મહંત પરમ પૂજ્ય રાઘવેન્દ્રદાસજીની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો.મિત્ર મિલન કાર્યક્રમ અંતર્ગત આચાર્ય કિરણભાઈ જોશીના મંત્રોચ્ચાર સાથે તુલસી પૂજન કરવામાં આવ્યું ત્યારબાદ ગૌ પૂજન કરવામાં આવ્યું હતું.યોજાયેલ તુલસી પૂજન તેમજ ગૌ પૂજનના કાર્યમાં સૌ મિત્રો જોડાયા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is