best news portal development company in india

આમોદના ભીમપુરા ગામની નર્મદા નીગમની કેનાલમાં મોટું ભંગાણ થતાં પાણીનો વેડફાટ

SHARE:

– ખેડૂતોએ વહેલી તકે કેનાલ રીપેરીંગ કરવાં માંગ કરી

આમોદ,

આમોદ તાલુકામાં આવેલા ભીમપુરા ગામે નર્મદા નિગમની કેનાલમાં મસમોટું ગાબડું પડતાં પાણીનો વેડફાટ થઈ રહ્યો છે.તેમજ બિનજરૂરી પાણી ખેતરોનમાં ઘુસી જતા ખેડૂતોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે.જેથી વહેલી તકે કેનાલનું રીપેરીંગ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

આમોદ તાલુકના ભીમપુરા ગામ પાસે નર્મદા નિગમની નહેરોમાં ઠેર ઠેર પડેલા તોતિંગ ગાબડાઓ અંદાજિત બે મહિના પહેલા જ નર્મદા નહેર નિગમના કોન્ટ્રાકટર દ્વારા સમારકામ કરવામાં આવ્યું હતુ.પરંતુ જ્યાં ગાબડું પડ્યું છે એ જ જગ્યા પર તકલાદી મટીરીયલથી સમારકામ થતાં વારંવાર નહેર તૂટી જાય છે.નહેર તૂટવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ જતાં ખેડુતો ચિંતિત બન્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!