ભરૂચ,
દહેજ નજીક ભેંસલી ગામની સીમમાં મોર્ડન કંપની પાસે સપ્ટેમ્બર માસમાં મળેલી લાશના કેસમાં પોલીસે મહત્વની સફળતા મેળવી છે.મૃતક દિલીપકુમાર ઉર્ફે દિપક પટેરીયા આર્યા રોડલાઈન્સમાં સુપરવાઈઝર તરીકે કામ કરતો હતો.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે મૃતકના એટીએમ કાર્ડથી તેના મૃત્યુ બાદ પણ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આર્યા ટ્રાન્સપોર્ટમાં ડ્રાઈવર તરીકે કામ કરતા શાહનવાઝ ઉર્ફે ખરશીદ સાથે દિલીપકુમારનો રૂપિયાની લેતીદેતી બાબતે વિવાદ હતો.શાહનવાઝે મુંબઈથી નસીફ મુનહિર અને મહમંદ હદિશ ઉર્ફે રાજાને બોલાવ્યા હતા. આ ચારેય શખસે મળીને મુંબઈથી હત્યા માટેનું પ્લાનિંગ કર્યું અને દોરડું, રૂમાલ અને ચપ્પુ લાવ્યા હતા.
પોલીસે આ કેસમાં મોહમ્મદ અનસ હમીદ મુસ્લિમની ધરપકડ કરી છે.પૂછપરછમાં તેણે કબૂલ્યું કે દિલીપકુમાર યોગ્ય વળતર નહીં ચૂકવતો હોવાથી તેની હત્યા કરવામાં આવી હતી.હત્યા બાદ લાશને ભેંસલી વિસ્તારમાં ફેંકી દેવામાં આવી હતી અને આરોપીઓ મુંબઈ ભાગી ગયા હતા.પોલીસે અન્ય ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે અને તેમને ઝડપી પાડવાની કાર્યવાહી શરૂ કરી છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is