- પીડિતા ઉપર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ બે વાર બળાત્કાર ગુજાયો હોવાની ફરિયાદ નોંધાઈ
સેન્ટ ઝેવિયર્સની રી યુનિયનની મીટીંગના બહાને પીડિતાને તેના ઘરે લઈ જઈ આરોપીએ બળાત્કાર અને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય હતું
ભરૂચ,
ભરૂચ ના પશ્ચિમ વિસ્તાર માં આવેલ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે. જેમાં શાળામાં શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થીએ વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ આચાર્ય હોવાની ફરિયાદ નોંધાઈ છે.
ભરૂચની સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં થોડા દિવસ પૂર્વે ઈન્ચાર્જ આચાર્યએ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તેની અટકાયત કરી છે.ત્યાં વિદ્યાર્થીની સાથે બળાત્કારની વધુ એક ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.જેમાં પીડિતા પર શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી ફિલિપ ઉર્ફે રોની નામના નરાધમે બે વાર બળાત્કાર ગુજાયો હોવાની એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે.જેમાં પીડિતા દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે સેન્ટ ઝેવિયર્સ સ્કૂલની રી યુનિયનની મીટીંગના બહાને પીડિતાને ફિલિપ ઉર્ફે રોની તેના ઘરે લઈ જઈ બળાત્કાર ગુજારી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચાર્ય હતું.તારીખ ૨૩ નવેમ્બર અને ૯ ડિસબર ૨૦૨૪ ના રોજ નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.બળાત્કાર અંગેની ફરિયાદ નોંધાયા બાદ આરોપી ફિલિપ ઉર્ફે રોની ફરાર થઈ ગયો છે જેને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.
સેન્ટ ઝેવીયર્સ શાળના ઈન્ચાર્જ પ્રિન્સિપાલ કમલેશ રાવલ બાદ ફિલિપ ઉર્ફે રોનીએ એક જ પીડિતાને અલગ અલગ સમયે હવસનો શિકાર બનાવી હોવાનું બહાર આવ્યું છે.આજ પીડિતા સાથે અગાઉ ઈન્ચાર્જ પ્રિન્સિપલે અયોગ્ય વર્તન કર્યું હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે શાળાના ઈન્ચાર્જ આચાર્ય અને શિક્ષિકાના પતિ અને પૂર્વ વિદ્યાર્થી દ્વારા વિદ્યાર્થીનીઓને હવસનો શિકાર બનાવાઈ હોવાની પોલીસ મથકે એક પછી એક ફરિયાદ નોંધાતા હવે ભરૂચ શહેર અને જીલ્લાની વિવિધ શાળોમાં બાળકીઓ કેટલી સુરક્ષિત છે તેવા સવાલો ઉઠવા પામવા સાથે વાલીઓમાં પણ હવે બાળકીઓને લઈને ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is