best news portal development company in india

વડપાડા રેંજમાં અભ્યારણના નામે થઈ રહેલ બાંધકામ અટકાવવા પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાની મુખ્યમંત્રીને લેખિત ફરિયાદ

SHARE:

  • કબ્જા વાળી જંગલ જમીન પર સ્થાનિક રાજકારણના ઈશારે જેસીબી દ્વારા ઉભા પાક તેમજ રહેઠાણના ઝુપડાં ઉખેડી ખાડા ખોદાવી ગેરરીતી થઈ રહી છે : મહેશ વસાવા
    (જ્યોતિ જગતાપ,રાજપીપલા)
    ઉમરપાડા તાલુકાના વડપાડા રેંજમાં અભ્યારણ ના નામે સ્થાનિક રાજકારણના ઈશારે સાગબારા તાલુકાના વ્યક્તિગત દાવેદારોના ઉભા ભાગમાં જંગલ ખાતા દ્વારા થઈ રહેલ કામગીરી અટકાવવા બાબતે ડેડીયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવાએ વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરાને લેખિત પત્ર લખ્યો છે.જેમાં જણાવ્યું છે કેવન કાનૂન ૨૦૦૬ અંતર્ગત વ્યક્તિગત હક્ક દાવેદારો સાગબારા તાલુકાના (૧) પાડી (૨) હલગામ (૩) નાનીનાલ (૪) કાકરાપાડા (૫) ધોધનવાડી (૬) મોટા કાકડી આંબા (૭) ભાદોડ (૮)સોરતા (૯) નાની પરોડી તેમજ જુદા જુદા ગામોના છે.જેમાં દાવેદારોએ વન કાનૂનના નિયમ મુજબ ગામ. ડોંગરીપાડા તા.ઉમરપાડા જી.સુરતની વનઅધીકાર સમિતીમાં ભલામણ કરી માંડવી પ્રાંત કચેરી ખાતે દાવા અરજીઓ જમા કરેલ અને ૧૪ જેટલા દાવેદારો ને સનદ પણ આપવામાં આવી અને બીજા દાવેદારો હક પત્રથી બાકી છે.ત્યારે તારીખ ૨૨/૧૨/૨૦૨૪થી અમારી કબજા વાળી જંગલ જમીન પર સ્થાનિક રાજકારણના ઈશારે જેસીબી દ્વારા ઉભા પાક તેમજ રહેઠાણના ઝુપડા ઉખેડી ડેચ તથા ખાડા ખોદાવી ગેરરીતી થઇ રહી હોવાની ફરિયાદ કરી છે.આમ આદિવાસી જંગલ ની જમીનના દાવેદારો જેઓ સાગબારા તાલુકાના હોવાથી તેઓને કબ્જા વાળી જમીનો છોડવાનું કામ થઈ રહેલ છે.તેમજ આ કામ વનકાનુંનના નિયમ બહાર થઈ રહેલ છે તેનેઅટકાવવામાં આવે.અને બાકી રહેલ દવાઓ દાવેદારો ને હક પત્ર આપવામાં આવે તેમજ આ કામના કારણેઆદિવાસી દાવેદારોને કોના ઈશારે જનીમ પરથી કબજો છોડવા માટે મજબુર કરવામ આવે છે તેની તપાસ થવી જોઈએ.સાથે આ બાબતે યોગ્ય ન્યાયિક તપાસ કરી આદિવાસી ખેડૂતોને ન્યાય આપવા રજુઆત કરી છે.
BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!