આમોદ,
આમોદ નગરની નૂરાનીપાર્ક સોસાયટી ખાતે રહેતા અબ્દુલ મહંમદ પટેલ ઉર્ફે ગોદર ઉ.વ.૫૮ ને અજાણ્યા વાહને ટક્કર મારતાં વૃધ્ધનું ઘટના સ્થળે જ મોત કરૂણ મોત થયુ હતું.આમોદ પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની તપાસ હાથધરી હતી.
આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આમોદ નગરની નૂરાનીપાર્ક સોસાયટી ખાતે રહેતા અબ્દુલ મહંમદ પટેલ ઉર્ફે ગોદર ઉ.વ.૫૮ લારીમાં છૂટક ડુંગરી વેચી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતાં તેમજ એકલવાયુ જીવન ગુજારતા હતા.જેઓ આજે સવારના સમયે નૂરાનીપાર્ક સોસાયટીમાંથી નીકળી સામે રોડ ઉપર આવેલી ચાની લારી ઉપર ચા પીવા માટે જતાં હતાં ત્યારે કોઈ અજાણ્યા વાહનચાલકે ટકકર મારતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતુ.અત્રે ઉલ્લેખનીય છે કે તેઓ લારીમાં ડુંગળી લઈને ઘરે ઘરે ફરી ડુંગળી વેંચી પોતાનું જીવન ગુજરાન ચલાવતા હતાં.અને એકલવાયું જીવન જીવતા હતા.આમોદ પોલીસે ઘટના સ્થળે પહોચી કાયદેસરની હાથ ધરી હતી.અને તેમનાં મૃતદેહને આમોદ સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે લાવી પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યુ હતું.પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે અક્સ્માત ગુનો નોંધી વધુ તપાસ હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is