best news portal development company in india

આમોદમાં સંતોની હાજરીમાં BAPS સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ મહોત્સવ ઉજવાયો

SHARE:

આમોદ,
આમોદમાં જનતા ચોક ખાતે આવેલા BAPS સ્વામિનારાયણ મંદિરનો ૨૦ થી વધુ સંતોની હાજરીમાં શિલાન્યાસ મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં ૨૭૫ હરિભક્તોએ શિલાન્યાસ પૂજા વિધિમાં ભાગ લીધો હતો.આમોદનુ આ BAPS મંદિર ૮૦૦૦ ચોરસ ફૂટમાં દિવ્ય અને ભવ્ય મંદિર બનશે આ પ્રસંગે ધારાસભ્ય ડી.કે.સ્વામી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં.અને મંદિરની શિલાન્યાસ વિધીમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી.શિલાન્યાસ મહોત્સવના પ્રસંગે ૨૦ થી વધુ સંતો હાજર રહ્યા હતા.જેમાં અટલાદરા મંદિરનાં કોઠારી ભાગ્યસેતું સ્વામી, પ્રમુખ સ્વામી મહારાજની ચાલીસ વર્ષ સુઘી સેવા કરનાર નારાયણચરણ સ્વામી,ધર્મચરણ સ્વામી સહિતના સંતોએ આશીર્વચન આપી લોકોને ભક્તિમાં તરબોળ કર્યા હતાં.અને જેણે મંદિરમાં સેવા આપી હોય તેઓને રૂડા આશિર્વાદ આપ્યાં હતાં.આ પ્રસંગે આમોદ નગરપાલિકાના મુખ્ય અઘિકારી પંકજ નાયક, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી સહિત ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં અને સંતોના આશિર્વાદ મેળવ્યા હતા.
નારાયણ ચરણ સ્વામીએ પ્રમુખ સ્વામિ બાપાના મહિમાની વાતો કરી લોકોને વ્યસન મુક્ત બનાવ્યા હોવાનું જણાવ્યું હતું.
અટલાદરા મંદિરનાં કોઠારી ભાગ્યસેતુ સ્વામીએ જણાવ્યું હતું કે મહંત સ્વામી સાયલન્ટ રહે છે પણ મક્કમ કામ કરે છે અને જે સંકલ્પ કરે છે તે પૂર્ણ કરે છે.જેથી બાપાના સંક્લ્પમાં યા હોમ કરવાનું છે અને પુણ્યનું ભાથું મેળવવાનું છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!