best news portal development company in india

ભરૂચના બે યુવાનોને અમદાવાદમાં રિક્ષામાં સવાર ગઠિયાઓએ ૨પ હજાર સેરવી લેતા ફરિયાદ

SHARE:

એજન્સી,

ધંધા માટે ભરૂચથી માલ ખરીદવા માટે આવેલા બે યુવકને અમદાવાદનો કડવો અનુભવ થયો છે.બે યુવક રિક્ષામાં બેઠા ત્યારે તેમના ૨૫ હજાર રૂપિયા પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા બે ગઠિયાઓએ કાઢી લીધા હતા.સરખું ભેસતા તેમ કહીને રિક્ષાચાલક બન્ને યુવકોને ઉતારીને તેમના સાગરિતો સાથે નાસી ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના મોટા ડભોઈયા વાડમાં રહેતા અતિકહુસૈન પંખાવાળાએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં શટલ રિક્ષાચાલક અને તેના સાગરિતો વિરૂદ્ધ ચોરીની ફરિયાદ કરી છે.જેમાં તેને જણાવ્યું છે કે અતિકહુસૈન ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સંપર્ક મોબાઈલ એસેસરીઝની દુકાન ધરાવીને ધંધો કરે છે. થોડા દિવસ પહેલાં અતિકહુસેન તેના પિતરાઈ ભાઈ નેમતઉલ્લાહ સાથે ભરૂચથી ટ્રેનમાં કાલુપુર રેલવે સ્ટેશન પર આવ્યો હતો.મોબાઈલ એસેસરીઝનો સામાન લેવાનો હોવાથી બન્ને જણા અમદાવાદ આવ્યા હતા.મોબાઈલનો સરસામાન ખરીદવા માટે બન્ને જણા ગીતામંદિર જવાનું હોવાથી તે કાલુપુર રેલવે સ્ટેશનની બહાર આવીને ઉભા હતા.આ દરમ્યાનમાં એક રિક્ષાચાલક આવ્યો હતો અને કહેવા લાગ્યો હતો કે તમારે ગીતા મંદિર બસ સ્ટેન્ડ જવું છે.રિક્ષામાં પહેલેથી પેસેન્જરના સ્વાંગમાં બે ગઠિયા બેઠા હતા.નેમતઉલ્લાહ રિક્ષાચાલકની પાસે બેસી ગયો હતો જ્યારે અતિકહુસૈન બન્ને પસેન્જર પાસે બેસી ગયો હતો.રિક્ષા થોડે દૂર ગઈ એટલે કે એક પેસેન્જર સરખું બેસતા ઠાવતું નથી તેમ કહીને ભૂમાબૂમ કરવા લાગ્યો હતો. રિક્ષાચાલક અતિકહુસૈન અને તેના ભાઈને ઉતારીને જતો રહ્યો હતો.અતિકહુસૈન તથા તેનો ભાઈ જયારે ગીતામંદિર પહોંચ્યા ત્યારે તેમને જાણ થઈ કે રિક્ષામાં પેસેન્જરોના સ્વાંગમાં બેઠેલા ગઠિયાઓએ રપ હજાર રૂપિયા નજર ચૂકવીને કાઢી લીધા હતા.અનિકહુસૈન અને તેના ભાઈ માલ ખરીદ્યા વગર પરત ભરૂચ જતા રહ્યા હતા અને આવીને પરત અમદાવાદ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી નોંધાવી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!