best news portal development company in india

જંબુસર બીઆરસી ભવન ખાતે પ્રજ્ઞા અભિગમ શિક્ષક તાલીમ યોજાઈ

SHARE:

(સંજય પટેલ,જંબુસર)
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત જંબુસર બીઆરસી ભવન ખાતે પ્રજ્ઞા અભિગમ શિક્ષક તાલીમ બીઆરસી કોઓર્ડીનેટર અશ્વિન પઢિયારના માર્ગદર્શન હેઠળ બે દિવસીય તાલીમ બે તબક્કામાં યોજાય હતી.જેની ટીપીઓ ઉમેશ પટેલ દ્વારા મુલાકાત લઇ આ તાલીમનું વિષયવસ્તુ બાળકો સુઘી પહોંચે અને બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે અપીલ કરી હતી.
સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે.હાલ જંબુસર બીઆરસી કોઓર્ડીનેટર અશ્વિન પઢિયારના માર્ગદર્શન હેઠળ બીઆરસી ભવન ખાતે જંબુસર તાલુકાના ૧૫૦ જેટલા શિક્ષક મિત્રોનો બે દિવસીય પ્રજ્ઞા તાલીમ બે તબક્કામાં યોજાય હતી.જેમાં નુતન શૈક્ષણિક પ્રવાહથી વાકેફ કરવા તથા માર્ગદર્શન માટે તાલીમ યોજાઈ હતી.જેના થકી શાળાના બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપવાનો મુખ્ય હેતુ છે. પ્રવૃત્તિઓ દ્વારા મેળવેલ શિક્ષણ લાંબા સમય સુધી યાદ રહે તે માટે અંકજ્ઞાન, સંખ્યા,સરવાળા, બાદબાકી,પર્યાવરણ,વાંચન લેખન,ગણન જેવા વિષયોનું ભાથું બાળકોને આપી શકે તે માટે તજજ્ઞ મિતલબેન, જગદીશભાઈ, નિલેશભાઈ, હરદેવસિંહ દ્વારા શિક્ષકોને પ્રજ્ઞા તાલીમ આપવામાં આવી હતી.જેમાં જંબુસર તાલુકાના ૧૫૦ જેટલા શિક્ષકોએ લાભ લીધો હતો.ટીપીઓ ઉમેશ પટેલે શિક્ષક તાલીમની મુલાકાત લઈ બાળકોનું શિક્ષણ સ્તર ઊંચું આવે તે માટે આ તાલીમનું વિષય વસ્તુ બાળકો સુધી પહોંચે અને જંબુસર તાલુકાનું નામ રોશન થાય તે માટે શિક્ષક મિત્રોને અપીલ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડયું હતું.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!