(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
રાજપીપળાનાં રાજવંત પેલેસમાં તાજેતરમાં થયેલી ચોરીના પ્રકરણમાં ઝડપાયેલા ૪ આરોપીઓને રાજપીપલાની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.આરોપીઓ તરફે કોર્ટે જામીન અરજી ગુજારી હતી.પણ ગુનો સંગીન હોવાથી કોર્ટે તમામ આરોપીઓની જામીન ફગાવી દઈને તમામનાં જામીન નામંજુર કર્યા છે.
કેસની વિગત અનુસાર રાજવંત પેલેસનાં સ્ટોર રૂમ માંથી મહારાજા રઘુવીરસિંહ ગોહિલની ૩ લાખની કિંમતની લાઈસન્સ વાળી પિસ્તોલની ચોરીથઈ હતી તેમજ આરોપીઓ રાજાની સહી વાળા કોરા ચેકની ચોરી કરી ચેક પર સેલ્ફ લખી ને બેન્કમાં જઈને ચેક વટાવી ૧૦ લાખ ઉપાડી નાણાંની ટફડંચી કરી હતી અને એમાંથી બે કાર અને એક વાહન ખરીદી જલસા કર્યા હતા.કોર્ટમાં રજૂ કરાયેલા સરકારી એડવોકેટ જીતેન્દ્ર ગોહિલની દલીલોના આધારે આ ચોરીનું કાવતરું અગાઉથી ગોઠવાયેલું હોવાનું પુરવાર થયું છે.નર્મદા એલસીબી દ્વારા પ્રજૂ કરાયેલા પુરાવાઓ અને આરોપીઓનાં ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી જજ આર ટી પંચાલની કોર્ટે આરોપીઓ મિત કલ્પેશ રાવલ, અરબાઝ ઉર્ફે અજુ મનસુરખાન પઠાણ, રિઝવાન લિયાકત મલેક અને ફરહાન ઈકરામ હુસેન રાઠોડના જામીન નામંજૂર કર્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is