– પોક્સોના ગુના અંતર્ગત સવા વર્ષથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લેવાયો
(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
ભરૂચ એલસીબીની ટીમે રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ પોક્સોના ગુનામાં છેલ્લા સવા વર્ષથી નાસતા ફરતા આરોપીને ભોગ બનનાર સગીરા સાથે ઝડપી લીધો હતો.
જીલ્લાના વિવિધ પોલીસ મથકોમાં નોંધાયેલ ગુનાઓ હેઠળ નાસતા ફરતા, વોન્ટેડ તેમજ પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી લેવા અસરકારક કામગીરી કરવા ઉચ્ચ અધિકારીઓ દ્વારા જીલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ તેના અનુસંધાને ભરૂચ એલસીબી પીઆઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.એ.તુવર ટીમ સાથે અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમ્યાન બાતમી મળેલ કે રાજપારડી પોલીસ મથકમાં નોંધાયેલ પોકસોના ગુના હેઠળ છેલ્લા સવા વર્ષથી નાસતો ફરતો આરોપી દશરથભાઈ જયરામભાઈ વસાવા રહે.ગામ વણાકપોર તા.ઝઘડિયા જી.ભરૂચના ભોગ બનનાર સગીરા સાથે વેલંજા ગામની સીમમાં એક ફાર્મમાં રહીને મજુરી કરે છે અને હાલમાં તે સગીરા સાથે ત્યાં હાજર છે.એલસીબીની ટીમે મળેલ બાતમી મુજબના સ્થળે જઈને છેલ્લા સવા વર્ષથી નાસતા ફરતા આરોપી દશરથભાઈ વસાવાને ભોગ બનનાર સગીરા સાથે સુરત વેલંજા ખાતેના ફાર્મ હાઉસ પરથી પકડી લઈને કાયદેસર કાર્યવાહી કરીને વધુ તપાસ માટે અંક્લેશ્વર શહેર બી ડિવીઝન પોલીસને સોંપીને રાજપારડી પોલીસ મથકને જાણ કરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is