ભરૂચ,
૨૬ મી જાન્યુયારી ૨૦૨૫ના રોજ મુન્શી મનુબરવાલા મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ ભરૂચના મુન્શી વિદ્યાધામમાં ૭૬મો પ્રજાસત્તાક દિવસ ઉજવવામાં આવ્યો હતો.
સવારે ૮:૩૦ કલાકે મુન્શી મહિલા બી.એડ. કોલેજના ઈન્ચાર્જ આચાર્ય ડૉ.પરવીન અન્સારીના વરદ હસ્તે ધ્વજારોહન કરવામાં આવ્યું હતું.સાથે સાથે મુન્શી ટ્રસ્ટના સી.ઈ.ઓ જનાબ સુહેલભાઈ દુકાનદાર સાહેબ,આચાર્યઓ,સ્ટાફ મિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરીઆપી હતી.ત્યાર બાદ મુખ્ય મહેમાન તરીકે પધારેલા ડૉ.પરવીન અન્સારીએ દેશની લાગણી તથા સ્વાતંત્રય સેનાનીઓએ કરેલી ચળવળ તથા તેમના બલિદાનને યાદ કરી શ્રદ્ધાંજલી આપી હતી અને દેશમાં સુખ-શાંતિ અને ધંધા રોજગારમાં પ્રગતિ થાય તેવી દુઆ કરી હતી.
આ પ્રોગ્રામના અંતમાં પધારેલા મુખ્ય મહેમાનોની આભાર વિધિ કરવામાં આવી હતી.પ્રોગ્રામના અંતે હાજરજનોને લાડુ ખવડાવી મો મીઠું કરી પ્રોગ્રામને પૂર્ણ કરેલ હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is