– ૪૮ કલાક ઉપરાંતનો સમય વિતવા છતા ફાયર બ્રિગેડની ત્રણ ટીમોને લાશ મળતી નથી
(વિજય વસાવા,નેત્રંગ)
નેત્રંગ-ઝંખવાવ રોડ પર આવેલ મૌઝા ગામના હાથાકુંડી ફળીયા નજીક આવેલ પીંગોટ ડેમમા હાથાકુંડી ફળીયામા રહેતા ૨૩ વર્ષીય યુવાને કુદકો મારી આત્મ હત્યા કરી લેતા મૌઝા પંથકમા ચકચાર મચી જવા પામી છે.બીજી તરફ ઝધડીયા, અંકલેશ્વર,ભરૂચની ફાયરબ્રિગેડની ત્રણ ટીમો ડેમમા લાશને શોધવા ભારે મહેનત કરી રહી હોવા છતા ૪૮ કલાક ઉપરાંતનો સમય વિતવા છતા લાશનો અતોપતો લાગતો નહિ હોવાથી કુટુંબીજનોમા ચિતાનો માહોલ જોવા મળી રહ્યો છે,જ્યારે મૌઝા પંથકના ગ્રામ્ય વિસ્તારના લોકો પીંગોટ ડેમ સાઈટ પર એકત્ર થઈ રહ્યા છે.
ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકાના મૌઝા ગામના હાથાકુંડી ફળીયા ખાતે રહેતા સુકમાબેન અશોકભાઈ શાંતિલાલ વસાવાએ નેત્રંગ પોલીસ સ્ટેશનમા જાણવા જોગ આપેલી ફરીયાદ મુજબ તેઓનો મોટો પુત્ર રજનીશભાઈ અશોકભાઈ ઉ.વ. આશરે ૨૩ કે જે અંકલેશ્વર જીઆઈડીસીમા છુટક મંજુરી કામે જાય છે.જે તા.૨૫ ના રોજ સાંજના પાંચ વાગ્યા આસપાસ તેના મિત્ર સાથે પીંગોટ ડેમ સાઈટ પર ગયેલ ત્યા તેણે ડેમની બારી પાસે કુદકો મારી લીધો હતો.આ સમયે તેનો મિત્ર ત્યા હાજર હોય જેણે તેને ડુબતો જોયો હતો તેણે આ બનાવને લઇ ને બુમાબુમ કરી મુકી હતી,મિત્રને પાણીમા તરત આવડતુના હોય જેને લઇ ને પાણીમા ઉતરેલ નહિ અને તુરત હાથાકુડીં ફળીયામા ફોન થકી જાણ કરતા રજનીશના મા બાપ તેમજ કુટુંબીજનોએ આવી તપાસ હાથ ધરતા લાશનો પતો લાગેલ ન હતો રાત્રિના અંધકારને લઈને તમામ ધરે આવી ગયેલ ત્યાર બાદ તા ૨૬ ના રોજ વહેલી સવારથી શોધખોળ કરવા છતા લાશનો અપોપતો નહિ લાગતા નેત્રંગ પોલીસ સ્ટેશનમા જાણવાજોગ ફરિયાદ આપતા તેમજ મૌઝા તલાટીએ ટીડીઓ,મામલતદાર નેત્રંગ ને લેખિત જાણ કરાતા તાત્કાલિક ઝધડીયા જીઆઈડીસી ખાતે આવેલ ફાયર બ્રિગેડ ની ટીમને બોલાવી શોધખોળ આરંભી પરંતુ લાશ શોધવામા સફળતા નહિ મળતા અંકલેશ્વર,ભરૂચ ખાતેની ફાયરબ્રિગેડ ની ટીમોની મદદ લેવાઈ રહી છે. આ લખાઇ રહ્યુ છે ત્યારે તા ૨૭ ના રોજ સાંજના ૫.૩૦ નો સમય ગાળો વીતી ગયો હોવા છતા લાશનો કોઈ પતો લાગ્યો નહિ હોવાનુ જાણવા મળેલ છે. નેત્રંગ પોલીસ સ્ટેશનો સ્ટાફ ઘટના સ્થળે જ ખડેપગે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is