ભરૂચ,
ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે ૨૭ વર્ષથી નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવતી હોય છે.ત્યારે આ વર્ષે પણ તારીખ ૪/૨/૨૦૨૫ ને મંગળવારનાં રોજ નર્મદા જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતા પોથી યાત્રા યોજાઈ હતી.
શ્રી શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર સ્વામી અલખધિરજી મહારાજના પાવન આશીર્વાદથી માં ભગવતી નર્મદાના શુદ્ધ અને પવિત્ર જળ સમસ્ત ગુજરાત દરેક વ્યક્તિના ઘરે ઘરે તથા ખેતરે ખેતરે પહોંચી સમગ્ર મનુષ્ય પશુ-પક્ષી વૃક્ષ તથા જીવ જંતુઓ પણ પાણી વિના તરસ્યાના રહે તથા ગુજરાતની પ્રજા આબાદ અને ગુજરાત સમગ્ર વિશ્વમાં સ્વર્ગ બને તેવા મહા સકલ્પને પૂર્ણ કરવા આ દિવ્ય મહોત્સવને દિવ્ય મહોત્સવની ઉજવણી કરવામાં આવતી હોય છે.જેના અનુસંધાનમાં આજરોજ ગાયત્રી મહાપુરાણ કથાનો પ્રારંભ થતા ઝાડેશ્વર ગાયત્રી મંદિરેથી પોથીયાત્રા યોજાઈ હતી.જે પોથીયાત્રા ઝાડેશ્વર ગામ થઈ મુખ્ય માર્ગ પર પસાર થઈ ઝાડેશ્વર ગાયત્રી મંદિરે પરત ફરી હતી.
કથાના વક્તા શ્રી શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર દ્વિતીય પીઠાઘીશ્વર સત્યનાંદગિરિજી માતાજી કથાનું રસપાન કરાવશે જે કથા દરરોજ બપોરે ૩ થી ૬ કલાક કથાનું રસપાન કરાવશે જે કથાની તારીખ ૩ ફેબ્રુઆરીને સોમવારના રોજ કથાની પૂર્ણાહુતિ કરાવે છે તથા તારીખ ૪ ને મંગળવારના રોજ ૨૪ કુંડી ગાયત્રી મહાયજ્ઞ સવારે ૮ કલાકે ગાયત્રી મહાયજ્ઞનો પ્રારંભ થશે અને બપોરે એક કલાકે જેની પૂર્ણાહુતિ કરે છે તથા તારીખ ૪/૨/૨૦૨૫ ને મંગળવારના રોજ ૨૭ મોં નર્મદા જયંતિ મહોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.જેમાં સવા લાખ દીવડાની મહાઆરતી, મહાપૂજન,૧૦૦૦ નંગ સાડી અર્પણ, મહાઅભિષેક, ભવ્ય અન્નકૂટ અને ભવ્ય આતાશબાજી બાદ ભોજન મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is