best news portal development company in india

૩૦ જાન્યુઆરીએ રાજપીપલાના મહારાજા વિજયસિંહજીની ૧૩૫ મી જન્મજયંતિ રાજવી પરિવાર ઉજવશે

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

૩૦ મી જાન્યુઆરીએ રિયાસતી રાજવી નગરી રાજપીપલાનાં પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની ૧૩૫ મી જન્મજયંતિ છે.એની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવશે. આ પ્રસંગે રાજવી પરિવાર રાજપીપલાને હેરિટેજ દરજ્જાની માંગ કરશે.

યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલનાં જણાવ્યા અનુસાર મહારાજા વિજયસિંહજીની જન્મ જયંતિ પ્રસંગે રાજપીપલાનાં પ્રવેશદ્વાર વિજય ચોક રાજપીપલા ખાતે, તેમજ રાજપીપલા હરસિદ્ધિ માતા મંદિરે આવેલ વેરીસાલજી મહારાજાની પ્રતિમા પાસે અને રામપુરા દશાવતાર મંદિર જે મહારાજા વિજયસિંહજીએ ૧૦૨૩ માં આ મંદિર બંધાવ્યું હતું ત્યાં વૃક્ષારોપણ કરી ઈન્ટેક પરિવાર દ્વારા પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની પ્રતિમાને ફુલહાર કરી રાજવી પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવશે.

આ પ્રસંગે રાજવી પરિવારનાં વર્લ્ડ સેલીબ્રિટી યુવરાજ માનવેન્દ્રસિંહ, મહારાજા રઘુવીર સિંહ ગોહિલ સહીત ઇન્ટેક ચેપટરનાં સદસ્યો વિજય ચોક, રાજપીપલા ખાતે ઉપસ્થિત રહેશે.

પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાએ  પ્રજાની સુખાકારી માટે રાજપીપલાનાં પેલેસ સહીત ઐતિહાસિક ઇમારતો, હેરિટેજ બિલ્ડીંગ, ઉપરાંત શાળા,કોલેજ હોસ્પિટલ,મંદિરો,બાગ બગીચાનું સુંદર નિર્માણ કર્યું હતું.પ્રજાને એનીયાદ તાજી કરાવશેએ ઉપરાંત આજે રાજપીપલાની ઐતિહાસિક ઈમારતોની જાળવણી થતી નથી તેથી ઐતિહાસિક ઈમારતોની જાળવણી થાય તેવી માંગ પણ રાજવી પરિવાર કરશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!