– રાજવી પરિવાર રાજપીપલાને હેરિટેજ દરજ્જાની માંગ કરી આવેદન આપ્યું : ઐતિહાસિક ઈમારતોની જાળવણી થાય તેવી માંગ પણ રાજવી પરિવારે કરી
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
૩૦ મી જાન્યુઆરી રજવાડી રિયાસતી રાજવી નગરી રાજપીપલાનાં પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની ૧૩૫ મી જન્મજયંતિ રાજવી પરિવારે ઉજવી હતી એની ઉજવણી રાજવી પરિવાર અનોખી રીતે ઉજવી રાજપીપળા શહેરમાં રાજવી પરિવારનાં મહેલો અને વિરાસતો આજે પણ હયાત હોય જેની યોગ્ય જાળવણી નાં થતી હોય એ માટે રાજવી પરિવાર દ્વારા રાજપીપલાને હેરિટેજ દરજ્જાની માંગણી કરવામાં આવી હતી.
હેરિટેજ ઈમારતોની જાળવણી માટે કામ કરતી ઈન્ટેક્ટ સંસ્થાનાં નર્મદા ચેપ્ટરનાં કન્વીનર યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ અને તેમની ટીમ દ્વારા મહારાજા વિજયસિંહજીની ૧૩૫ મી જન્મ જયંતિ પ્રસંગે રાજપીપલાનાં પ્રવેશદ્વાર વિજય ચોક રાજપીપલા ખાતે, તેમજ રાજપીપલા હરસિદ્ધિ માતા મંદિરે આવેલ વેરીસાલજી મહારાજાની પ્રતિમા પાસે અને રામપુરા દશાવતાર મંદિર જે મહારાજા વિજયસિંહજીએ ૧૯૨૩ માં આ મન્દિર બંધાવ્યું હતું.ત્યાં વૃક્ષારોપણ કરી, ફુલહાર કરી ઈન્ટેક પરિવાર દ્વારા પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાની પ્રતિમાને ફુલહાર કરી રાજવી પરિવાર શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.પ્રજાવત્સલ મહારાજા વિજયસિંહજી મહારાજાએ પ્રજાની સુખાકારી માટે રાજપીપલાનાં પેલેસ સહીત ઐતિહાસિક ઇમારતો, હેરિટેજ બિલ્ડીંગ, ઉપરાંત શાળા,કોલેજ હોસ્પિટલ,મંદિરો,બાગ બગીચાનું સુંદર નિર્માણ કર્યું હતું પ્રજાને એની યાદ તાજી કરાવશે. એ ઉપરાંત આજે રાજપીપલાની ઐતિહાસિક ઇમારતોની જાળવણી થતી નથી તેથી ઐતિહાસિક ઇમારતોની જાળવણી થાય તેવી માંગ પણ રાજવી પરિવારે કરી હતી આ પ્રસંગે મહારાજા રઘુવીર સિંહજી મહારાજાએ સ્વ. વિજયસિંહજી મહારાજાએ કેક કાપી ૧૩૫ મી જન્મજયંતિ ઉજવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is