best news portal development company in india

આરોગ્ય વિભાગના અધિકારી અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં જિલ્લા રક્તપિત્ત જન-જાગૃત્તિ અભિયાનનો શુભારંભ

SHARE:

– વહેલું નિદાન,નિયમિત અને પૂરતી બહુઔષધિય સારવારથી રક્તપિત્ત ચોક્કસ મટી શકે છે : આરોગ્ય અધિકારી જે.એસ દુલેરા
– ભરૂચ જિલ્લા સહિત ભારતને રક્તપિત્તથી મુક્ત કરવા અંગે સૌએ શપથ લીધા


ભરૂચ,
રેલ્વે સ્ટેશનથી “ગાંધી નિર્વાણ દિવસ” નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન કાર્યક્રમ હેઠળ જિલ્લા આરોગ્ય અધિકારી અને જિલ્લા લેપ્રસી અધિકારીશ્રી ડૉ. પ્રિયંકા ભગત એ એન્ટી લેપ્રસી ડે (રક્તપિત્ત નિર્મુલન દિવસ) નિમિત્તે રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાન રેલીને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
આરોગ્ય અધિકારી જે.એસ દુલેરાએ જણાવ્યું હતું કે, ૩૦ મી જાન્યુઆરી “ગાંધી નિર્વાણ દિવસ” નિમિત્તે રાષ્ટ્રીય રક્તપિત્ત નિર્મૂલન સ્પર્શ" રક્તપિત્ત જન જાગૃત્તિ અભિયાન થકી રક્તપિત્ત નાબુદીનો પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
રક્તપિત્ત અંગે વિસ્તૃત માહિતી આપતા જિલ્લા લેપ્રસી અધિકાર ડૉ.પ્રિયંકા ભગતે કહ્યું કે, રકતપિત્ત એ બેક્ટેરીયાથી ફેલાતો રોગ છે. જે કોઈપણ વ્યક્તિને થઇ શકે છે. ચામડીના રંગ અને કુમાશમાં ફેરફાર, સ્પર્શજ્ઞાનનો અભાવ, ચામડી પર ચાઠું રકતપિત્ત હોઈ શકે છે. રકતપિત્ત કોઈપણ તબક્કે મટાડી શકાય છે. વહેલું નિદાન, નિયમિત અને પૂરતી બહુઔષધિય સારવારથી રક્તપિત્ત ચોક્કસ મટી શકે છે.
રક્તપિત્ત વિશે જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે આ રેલીનો શુભારંભ ભરૂચ રેલ્વે સ્ટેશનથી કરી જિલ્લા પંચાયત ભવન ખાતે કરવામાં ખાતે સમાપન થઈ હતી. જેમાં નર્સિંગ સ્ટાફ દ્વારા બેનર્સ, પ્લેકાર્ડ્સના માધ્યમથી અને અનેક સ્લોગનો થકી લોકોને રક્તપિત્ત અંગે જાગૃત કર્યા હતા. સમાપન બાદ ભરૂચ જિલ્લા સહિત ભારતને રક્તપિત્તથી મુક્ત કરવા અંગે સૌએ શપથ લીધા હતા.
આરોગ્ય વિભાગ દ્વારા રક્તપિત્તથી પીડિત દર્દીઓ માટે નિઃશુલ્ક સારવાર કરવામાં આવે છે.આ દર્દીઓ માટે સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અને અવેરનેશના કાર્યક્રમો કરવામાં આવે છે.રક્તપિત્તથી પીડીત દર્દીને ચામડી પર ચાઠું જોઈને લોકો તેમનાંથી દૂર રહે છે.રક્તપિત્તથી પીડિત લોકોને સામાજિક ભેદભાવનો સામનો કરવો ન પડે તે માટે આ રેલીના માધ્યમથી રક્તપિત્ત અંગે ગેરમાન્યતાઓ દૂર કરી લોકોમાં જાગૃતિ લાવવામાં આવે છે. રક્તપિત્તથી પીડિત લોકોને સમાજમાં સમાન સ્થાન મળે તે માટે સમાજના લોકોને રક્તપિત્ત જન જાગૃત્તિ થકી અવરનેશ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ તા. ૩૦ મી જાન્યુઆરી થી ૧૩ ફેબ્રુઆરી ૨૦૨૫ દરમિયાન સ્પર્શ રક્તપિત્ત જનજાગૃતિ અભિયાન યોજાશે.જેમાં ભારતને રકતપિત્તમાંથી મુકત કરવા માટેના તમામ પ્રયત્ન તેમજ રક્તપિત્ત જનજાગૃતિની વિવિધ પ્રવૃતિઓ થનાર છે.જેમાં સ્કૂલ ક્વિઝ/રોલ પ્લે/આરોગ્ય તપાસણી, એન્ટી લેપ્રસી ડે સેલિબ્રેશન, રક્તપિત્ત બેનર વિતરણ, પપેટ શો, ભીંત સુત્રો,માઇકીંગ, રક્તપિત્ત પત્રિકા વિતરણ, જૂથ ચર્ચા સહિત જનજાગૃતિ રેલીઓ પણ યોજાનાર છે.
આ રેલીમાં તાલુકા આરોગ્ય અધિકારી,આરસીએચઓ હસમુખ પટેલ,જે.પી. આર્ટસ અને સાયન્સ કોલેજના ડૉ.સરોજ પ્રજાપતી સહિત જિલ્લા આરોગ્ય વિભાગના ડોક્ટરો અને નર્સીંગ સ્ટાફ સહિતના અધિકારી-કર્મચારીઓ અને જે.પી. કોલેજના એન.સી.સી. ક્રેડેડના વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!