ભરૂચ,
૩૦ જાન્યુઆરી, ૨૦૨૫ ને ગુરુવારના રોજ સમગ્ર રાજ્યમાં પૂ. મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે પૂ.ગાંધીજી, રાષ્ટ્ર માટે શહીદી વહોરનાર મહાનુભાવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી ભરૂચ શહેર અને જીલ્લાની વિવિધ સરકારી કચેરીઓ ખાતે પૂ.ગાંધીજીના નિર્વાણ દિવસ નિમિત્તે સવારે ૧૧.૦૦ થી ૧૧.૦૨ વાગ્યા દરમ્યાન મૌન પાળવામાં આવ્યુ હતુ.
જીલ્લામાં વિવિધ જીલ્લા કલેકટર કચેરી,જીલ્લા માહિતી કચેરી,આરોગ્ય વિભાગની કચેરીઓ, બસ ડેપો, પ્રાંત,નગરપાલિકા, તાલુકા પંચાયત, મામલતદાર કચેરી સહિત જીલ્લાની વિવિધ સરકારી કચેરીઓ ખાતે અધિકારી અને કર્મચારીઓએ મહાત્મા ગાંધી શહીદ સ્મૃતિ દિવસ નિમિત્તે પૂ.ગાંધીજી અને શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.ઉલ્લેખનીય છે કે દર વર્ષે તા.૩૦ જાન્યુઆરીએ સમગ્ર દેશમાં પૂ. મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે, શહીદ દિવસે મૌન
પાળવામાં આવે છે.રાષ્ટ્ર માટે શહીદી વહોરનારને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is