– ભાદોડ બેઠકની પેટા ચૂંટણી માટે સરોજબેન વસાવા તથા ઝાંક બેઠક માટે સુરેશભાઈ વસાવાના નામની જાહેરાત
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
2025માં યોજાનારા સ્થાનિક સ્વરાજ ની ચૂંટણીની જાહેરાત થઈ છે જેમાં નર્મદા જિલ્લાની સાગબારા અને ડેડીયાપાડા તાલુકા પંચાયતની બે બેઠકો ભાદોડ અને ઝાંક તાલુકા પંચાયતની ખાલી પડેલ જગ્યા માટે પેટા ચૂંટણીની જાહેરાત થઈ છે આ બન્ને બેઠક માટે નર્મદા ભાજપના બે ઉમેદવારોની જાહેરાત થતા રાજકીય ગરમાવો આવી ગયો છે.જેમાં સાગબારા તાલુકાની તાલુકા પંચાયતની ભાદોડ બેઠકની પેટા ચૂંટણી માટે અનુસૂચિત આદિજાતિના સ્ત્રી અનામત બેઠકના ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સરોજબેન અશ્વિનભાઈ વસાવાના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
જયારે ડેડીયાપાડા તાલુકા પંચાયતની બેઠકની પેટા ચૂંટણી માટે અનુસૂચિત આદિજાતિના અનામત ઉમેદવાર માટે ભાજપના ઉમેદવાર તરીકે સુરેશભાઈ ખાનસિંહભાઈ વસાવાના નામની જાહેરાત કરવામાં આવી છે.
આ અંગે સાગબારા તાલુકાના ધવલીવેર ગામે ભાદોદ તાલુકા પંચાયતની પેટા ચૂંટણી અંતર્ગત ભરૂચ લોકસભાના સાંસદ મનસુખભાઈ વસાવા જીના અધ્યક્ષ સ્થાને કાર્યકર્તાઓની બેઠક મળી હતી.જે બેઠકમાં નર્મદા જીલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ચંદ્રકાંતભાઈ લુહાર, પ્રદેશ આદિજાતી મોરચાના ઉપપ્રમુખ શંકર વસાવા, પૂર્વ ધારાસભ્ય મોતીભાઈ વસાવા સહીતના આગેવાનોએ ભેગા થઈ ભાજપના ઉમેદવારને જીતાડવાની રણનીતિ ઘડાઈ હતી.એજ પ્રમાણે ડેડીયાપાડા વિધાનસભાની ઝાંક તાલુકા પંચાયત અંતર્ગત ઝાંક ગામે અને ભાદોડ તાલુકા અંતર્ગત ધવલીવેર ગામે તાલુકા પંચાયતની પેટા ચૂંટણી સંદર્ભે કાર્યકર્તા બેઠકમાં આગામી પેટા ચુંટણી જીતવાની વ્યુહરચના તૈયાર કરી, ચૂંટણી વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી માર્ગદર્શન આપ્યું હતું.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is