best news portal development company in india

ખેતરમાં આવવા જવાનો રસ્તો આપવા બાબતના ઝઘડામાં બે ઈસમો સામે ફરિયાદ

SHARE:

– પોતાના ખેતર માંથી રસ્તો આપવાની ના પાડતા અન્ય ખેતર માલિકોએ ખેતર માલિકને માર માર્યો

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામે ખેતરમાંથી આવવા જવાનો રસ્તો આપવાની બાબતે થયેલ ઝઘડામાં ખેતર માલિકને બે ઈસમોએ માર માર્યો હોવા બાબતે પોલીસમાં  ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

ઝઘડિયા પોલીસ માંથી મળતી વિગતો મુજબ ગોવાલી ગામના રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલ ગતરોજ તા.૩૧ મીના રોજ ગામની સીમના એઠાણું વગામાં આવેલ તેમના કપાસનું વાવેતર કરેલ ખેતરે ગયા હતા.તે દરમ્યાન તેમના ખેતરની બાજુમાં આવેલ ખેતરના માલિક કેતનભાઈ નરેશભાઈ ત્રિવેદી અને નરેશભાઈ ગણપતિશંકર ત્રિવેદી ત્યાં આવ્યા હતા અને રમેશભાઈને કહેવા લાગેલ કે તમારા ખેતરમાંથી અમને આવવા જવા માટે કાયમનો રસ્તો આપો.ત્યારે રમેશભાઈએ તેમને જણાવેલ કે આ મારી માલિકીની જમીન છે,હું તમને મારા ખેતરમાંથી આવવા જવા રસ્તો ના આપી શકું.આ સાંભળીને કેતનભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગેલ.તેમજ તેમણે રમેશભાઇને મોંઢા પર બે ચાર તમાચા મારી દીધા હતા.ઉપરાંત નરેશભાઈએ લાકડી લઇને રમેશભાઈને લાકડીના સપાટા માર્યા હતા.આ દરમિયાન ખેતરમાં કામ કરતા મજુરોએ વચ્ચે વચ્ચે પડીને તેમને વધુ મારથી બચાવ્યા હતા.આ ઝઘડા દરમ્યાન રમેશભાઈના મોંઢા પર મારેલ તમાચાને કારણે તેમના દાંત હાલી ગયા હતા.તેમજ લાકડીના સપાટાના કારણે તેમને શરીર પર દુખાવો થતો હતો.ઝઘડા બાદ માર મારનાર બન્ને ઈસમો જતાજતા મારી નાંખવાની ધમકી આપી ગયા હતા.ઘટના સંદર્ભે રમેશભાઈ પટેલે તેમને માર મારનાર ઉપરોક્ત બન્ને ઈસમો સામે ઝઘડિયા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

Pelli Poola Jada Accessories
best news portal development company in india
Most Read Posts
error: Content is protected !!