(સંજય પટેલ,જંબુસર)
આગામી દિવસોમાં ગુજરાતની સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણી યોજાનાર છે.જે અંતર્ગત જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર ૧ માં સભ્ય લખીબેન અરવિંદભાઈ વાઘેલાનું અવસાન થતાં પેટા ચૂંટણીની જાહેરાત સાથે રાજકીય પક્ષોમાં અને ટિકિટ વાંચછુંઓમાં તરવરાટ જાગ્યો હતો અને જંબુસર નગરપાલિકા વોર્ડ નંબર ૧ ની પેટા ચૂંટણીમાં ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ ૧ જાન્યુઆરી હોય ત્યારે આજે ભાજપા દ્વારા સિકોતર માતા મંદિરથી ઢોલ નગારા સાથે ભાજપા માંથી ઉમેદવારી પત્ર ભરવા અમીષાબેન કરણ વાઘેલા મામલતદાર કચેરીએ પહોંચતા અગ્રણીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.જ્યારે ડમીમાં દક્ષાબેન સુરેશભાઈ ખારવાએ ઉમેદવારી પત્ર ભરી ચૂંટણી અધિકારી પ્રશાંતભાઈ ગામિતને સુપ્રત કર્યું હતું.આ સહિત કોંગ્રેસ માંથી વનિતાબેન નૈનેશભાઈ જાદવે પોતાના ટેકેદારો તથા નગરપાલિકા વિરોધ પક્ષ નેતા સાકીરભાઈ મલેક,
સહિતન આગેવાનો હાજર રહ્યા હતા.તથા આપ પાર્ટી માંથી કિરણબેન યોગેશકુમાર માછીએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.તથા ઉર્મિલાબેન ઈશ્વરભાઈ માછી,હસીનાબીબી મુસ્તાક શેખે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૪ ઉમેદવારી પત્રો પૈકી ૮ ઉમેદવારી પત્ર ભરાયા હતા.ઉમેદવારી પત્ર ચકાસણી તારીખ ૩ ફેબ્રુઆરી, પરત ખેંચવાની તારીખ ૪ ફેબ્રુઆરી તથા મતદાન ૧૬ ફેબ્રુઆરીએ યોજાનાર છે.પ્લેટ

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is