– અતિ પૌરાણિક નર્મદા માતાજી મંદિરે મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા : ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી
ભરૂચ,
ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત આવેલ અતિ પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે નર્મદા જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.જેમ વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ ઉમટી પડી હતી.મંગળા આરતીથી શરૂ થયેલા કાર્યક્રમમાં માતાજીની પ્રતિમાને સવામણ દૂધનો અભિષેક કરવા સાથે ભવ્ય ફૂલ શણગાર કરવામાં આવ્યો હતો.
ભરૂચના દશાશ્વમેઘ ઘાટ સ્થિત ૧૯૬૨ માં જીર્ણોદ્ધાર પામેલ પ્રાચીન મંદિરે દર વર્ષે મહા સુદ સાતમના દિવસથી નર્મદા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરે છે. મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી કાંઠીયાજાળ ખાતે અરબી સમુદ્રમાં વિલીન થતી નર્મદા નદીનું મહાત્મ્ય અનેક ધર્મગ્રંથોમાં વર્ણવાયું છે.
શાસ્ત્રો અનુસાર નર્મદા માતાના દર્શન માત્રથી માનવીના ભવભવના પાપો દૂર થાય છે. આ પાવન અવસર પર મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.સમગ્ર દિવસ દરમ્યાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is