આમોદ,
ભરૂચ જીલ્લા પંચાયતની આછોદ બેઠક ખાલી પડતાં પેટા ચુંટણી માટે ત્રિપાંખિયો જંગ ખેલાશે આજ રોજ ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના દિવસે ડમી ઉમેદવારોના ફોર્મ કેન્સલ થતાં ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાશે.
ભરૂચ જીલ્લા પંચાયતની આછોદ બેઠક માટે ૧૬ મી ફેબ્રુઆરીએ ૨૯ ગામોમાં ૪૨ બુથોમાં ૩૨,૪૯૮ મતદારો મતદાન કરશે.જે માટે ચુંટણી પંચ તરફથી આદર્શ ચુંટણી માટે તૈયારીઓ કરી દેવામાં આવી છે.ભાજપ પક્ષ માંથી મેલાભાઈ ભીમાભાઈ વસાવા, કોંગ્રેસ પક્ષ માંથી સોમાભાઈ અંબાલાલ વસાવા તેમજ આમ આદમી પાર્ટી માંથી જયંતિભાઈ મોતીભાઈ વસાવા વચ્ચે રસાકસી ભર્યો ત્રિપાંખિયો જંગ ખેલાશે.ત્યારે રાજકીય પાર્ટીઓના કાર્યકરો પણ ચુંટણી પ્રચારમાં ઝંપલાવી દીધું છે અને પોતાના ઉમેદવાર જંગી બહુમતી સાથે વિજેતા બંને તે માટે કમરકસી રહ્યા છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is