– ઘરવેરો ભરીને આવાસ મંજુર કરાવી આપવાનું કહીને બિભત્સ માંગણી કરતા મહિલાએ ના પાડતા બળજબરીથી દુષ્કર્મ આચર્યું
(ફૈજાન ખત્રી,છોટાઉદેપુર)
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના એક ગામે રહેતી એક ૪૨ વર્ષીય પરિણિત મહિલા સાથે શારીરિક અડપલા કરી તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરનાર ઈસમ વિરુધ્ધ મહિલાએ સંખેડા પોલીસમાં ફરિયાદ લખાવી હતી.
આ અંગે સંખેડા પોલીસ માંથી મળતી વિગતો મુજબ સંખેડા તાલુકાના એક ગામે રહેતી ભોગ બનનાર મહિલાને મનોજ નાથાભાઈ સોલંકી નામના ઈસમે ગત તા.૪ થીના રોજ આવાસ યોજના અને ઘરવેરો ભરવા બાબતે ફોન કરીને તેના ઘરે બોલાવી હતી,ત્યાર બાદ આ ઈસમે મહિલાને કહ્યું હતું કે હું તમારો વેરો ભરી દઇશ અને તમારા માટે આવાસ પણ મંજુર કરાવી આપીશ તેના બદલામાં તમારે મારી સાથે સંબંધ રાખવો પડશે,એમ કહીને મહિલાને બાથ ભરી લઇને શારીરિક અડપલા કરી મહિલા પાસે બદકામની માંગણી કરી હતી.મહિલાએ આ વાતનો ઈન્કાર કરતા મનોજે મહિલા સાથે બળજબરીથી તેની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતું.ત્યાર બાદ મનોજે મહિલાને કહેલ કે તું હવે તારા ઘરે જતી રહે.આ વાત કોઈને કહીશ તો તને અને તારા ઘરના માણસોને જાનથી મારી નાંખીશ,એમ ધમકી આપી હતી.આ ઘટનાથી વ્યથિત થયેલ મહિલાએ તેની સાથે શારીરિક અડપલા કરીને આવાસનો લાભ અપાવવાનું કહીને મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચરનાર મનોજ સોલંકી વિરુધ્ધ સંખેડા પોલીસ મથકે ફરિયાદ લખાવતા પોલીસે સદર ઈસમ વિરુધ્ધ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથધરી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is