best news portal development company in india

ગુજરાતમાં લાગુ થનારા UCC ના કાયદા અંગે નર્મદામાં મિશ્ર પ્રત્યાઘાતો

SHARE:

– નર્મદાના વકીલો અને હિન્દુ અગ્રણીઓએ આ કાયદાને આવકાર્યો તો આદિવાસી નેતા ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિરોધ નોંધાયો

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ગુજરાતમાં UCC ના કાયદો લાગુ પડવા જઈ રહ્યો છે ત્યારે આ કાયદા અંગે નર્મદા જિલ્લામાં માં મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા.જેમાં નર્મદાના વકીલો અને હિન્દુ અગ્રણીઓએ આ કાયદાને આવકાર્યો છે તો બીજી બાજુ આદિવાસી નેતા ડેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવા એ આ કાયદાનો વિરોધ નોંધાવ્યો છે.

વિદ્વાન વકીલ વંદનાબેન ભટ્ટે ગુજરાત સરકારના આ કાયદાને આવકારી કાયદામાં સમાવેશ મુદ્દાનો ખ્યાલ આપતા જણાવ્યું હતું કે UCC બાદ તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યુનત્તમ ઉમર ૧૮ વર્ષ થશે, પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર મળશે,લિવ ઈન રિલેશનશીપની નોંધણી કરાવવી જરૂરી બનશે,લિવ ઈન રિલેશનશીપની નોંધણી ન કરાવનારને ૬ માસની કેદ થઈ શકશે.જયારે અનુસૂચિત જનજાતિ UCCના દાયરાથી બહાર રખાશેએ ઉપરાંત એક કરતા વધારે લગ્ન પર રોક આવશે,એ ઉપરાંત પતિ અથવા પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ રહેશે, લગ્નનું રજિસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત બનશે સંપત્તિના ઉત્તરાધિકારમાં મહિલાઓને સમાન હક્ક મળશે.તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ રહેશે.મુસ્લિમ સમૂદાયમાં લોકો ૪ લગ્નો નહીં કરી શકે.

જયારે હિન્દુ અગ્રણી સિધ્ધેશ્વર સ્વામી એ હિન્દુઓ માટે આ કાયદો આશિર્વાદ રૂપ પુરવાર થશે એમ જણાવી ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા. અને જણાવ્યું હતું કે હવે તમામ ધાર્મિક સમુદાયોમાં લગ્ન, છૂટાછેડા,ભરણપોષણ અને વારસા માટે સમાન કાયદો હશે.લગ્નનું રજિસ્ટ્રેશન હવે ફરજિયાત રહેશે.

લગ્નના છ મહિનાની અંદર રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે.તેમણે ગુજરાત સરકારના આ નિર્ણયને આવકારી મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા.

તો બીજી તરફ બહુધા આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના આદિવાસીઓને આ કાયદાથી શું ફેર પડશે એ અંગે આદિવાસી લેતા અને ડેડીયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આ કાયદાનો વિરોધ નોંધાવી આદિવાસીઓ ને UCC માંથી બાકાત રાખવા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કમિટી ને કરી રજુઆત.કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં ૧ કરોડ ૨૫ લાખ આદિવાસી હોવા છતાં પણ યુસીસીની કમિટીમાં આદિવાસી સભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી,જો ગુજરાતમાં યુસીસી લાગુ થશે તો સૌથી વધુ નુકસાન આદિવાસી સમાજને થશે.એ ઉપરાંત

આદિવાસીની પોતાના રીતિ રિવાજ અને પરંપરાઓ છે તેને યુસીસીથી નુકસાન થશે: ચૈતર વસાવાએ માંગ કરી હતી કે અમારી માંગ છે કે સરકાર UCC ની કમિટીમાં આદિવાસી સભ્યનો સમાવેશ કરે. ઉત્તરાખંડમાં જે રીતે યુસીસીને લાગુ કરવામાં આવ્યું તે રીતે જો ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો ગુજરાતમાં સૌથી વધુ ખરાબ અસર આદિવાસી સમાજ પર પડશે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!