આમોદ,
આમોદ તાલુકા કોંગ્રેસ સમિતિ આયોજિત સંવિધાન બચાવો રેલી કાઢવામાં આવી હતી.જેમાં AICC ડેલીગેટ મુમતાઝબેનનું કોંગ્રેસી અગ્રણી દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતુ.આ તબક્કે કોંગ્રેસી કાર્યકરોએ હાથમા પ્લેકાર્ડ લઈને જય બાપુ,જય ભીમ અને જય સંવિધાન ના સૂત્રોચાર કરવા સાથે આમોદ ચાર રસ્તાથી પદયાત્રા કાઢી ડૉ.બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર કર્યા હતા.પદયાત્રા ઈકબાલ કાકુજીની વાડી પાસે મિટિંગમાં ફેરવાઈ હતી.જ્યાં તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિના હોદ્દેદારોને મુમતાઝબેન પટેલના હસ્તે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા.
આ તબક્કે મુમતાઝબેને સંવિધાન બચાવવા કોંગ્રેસ આખા દેશમાં જગૃતિ લાવવાનો પ્રયાસ કરશે એમ જણાવ્યુ હતુ.UCC મુદ્દે તેમણે જણાવ્યુ હતુ કે આ કાયદો ભાજપ શાસિત રાજ્યોમાં જ કેમ લાગુ કરવામાં આવે છે.સદર કાયદો દરેક ધર્મની સંસ્કૃતિને અસર કરનાર બની રહેશે.દેશમાં આજે કેટલીક તાકાતો છે જે સંવિધાન સાથે છેડછાડ કરી રહ્યા છે.દેશમાં સંવિધાન માં રહેલી ગેરંટી સમાનતા, ન્યાય, સ્વતંત્રતા અને ધર્મનિરપેક્ષતાને બચાવવાની છે.જેને લઈને દેશ આખામાં રાહુલ ગાંધી લડાઈ લડી રહ્યા છે.જે લોકોને હક અને ન્યાયની જરૂરત છે તેના માટે અમે લડત આપી રહ્યા છે.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રણા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્રભાઈ પટેલ ઉર્ફે કાજી, ઈબ્રાહિમ શેઠ ઉર્ફે બચુ શેઠ,મેહબુબભાઈ કાકુજી, શહેર કોંગ્રેસ પ્રમુખ મહેશભાઈ પટેલ,મહિલા કોંગ્રેસ આગેવાન ધનુબેન રણા,ઓબીસી અગ્રણી વિરેનભાઈ ગઢવી સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is