best news portal development company in india

સરકાર દ્વારા પાટીદાર આંદોલનના ગંભીર કેસો પાછા ખેંચવા સામે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા

SHARE:

(જ્યોતિ જગતાપ,રાજપીપલા)

ગુજરાત સરકાર દ્વારા પાટીદાર આંદોલનના ગંભીર કેસો પાછા ખેંચવા સામે આમ આદમી પાર્ટી ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે.

એસ.સી, એસટી, ઓબીસી, માઈનોરીટી, વિદ્યાર્થી, કર્મચારીઓ અને ખેડૂતોના આંદોલનમાં પણ જે લોકો પર કેસ કરવામાં આવ્યા છે તે કેસોને પણ સરકાર પરત ખેંચેએવી માંગ ધારાસભ્ય ચૈતર વસાવાએ કરી છે.વધુમાં જણાવ્યું હતું કે એક સમુદાયના કેસો પરત ખેંચવામાં આવે છે અને બીજા સમુદાય સાથે અન્યાય કરવામાં આવે છે.જોકે ગુજરાત સરકાર દ્વારા પાટીદાર અનામત આંદોલન દરમિયાન પાટીદાર આગેવાનો પર દેશદ્રોહ સહિતના ગંભીર ગુનાઓ તમામ કેસો પરત ખેંચવામાં આવતા ગુજરાત સરકારના નિર્ણયને ચૈતર વસાવાને આવકાર્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!