(સંજય પટેલ,જંબુસર)
મહાસુદ તેરસ એટલે પરમ કૃપાળ વિશ્વકર્મા પ્રભુના અવતરણ નો પવિત્ર દિન જેની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે.જંબુસર નગરમાં સુથાર સમાજ,પંચાલ સમાજ દ્વારા ભવ્ય ઉજવણી યજ્ઞ પૂજા વિધિ સહિત મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહા સુદ તેરસ એટલે વિશ્વકર્મા ભગવાનનો પ્રાગટ્ય દિન પરમ કૃપાળુ વિશ્વકર્મા પ્રભુ જેવો સ્થાપત્યકલાના મર્મગ્ન,અજોડ શિલ્પી, સૌંદર્યના સ્વામી, નગર મહાનગરોના નિર્માતા, સૌમ્યતાના પરમ ઉપાસક, આંખને અભિરામ, પ્રતિકોના સર્જક એવા વિશ્વકર્મા ભગવાનના પ્રાગટ્ય દિનની ઠેરઠેર ઉજવણી કરવામાં આવે છે.જે અંતર્ગત પ્રતિવર્ષની જેમ જંબુસર શહેર તથા તાલુકા ના પંચાલ તથા સુથાર સમાજ દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.પંચાલ સમાજ દ્વારા વિશ્વકર્મા મંદિરે તથા સુથાર સમાજ દ્વારા કાછિયા પટેલ વાડી ખાતે ઉજવણી નિમિત્તે ભગવાનની પૂજા અર્ચન યજ્ઞ પૂજા વિધિ વિધવાન બ્રાહ્મણોના શસ્ત્ર સાથે કરવામાં આવી હતી.જેમાં અશોકભાઈ મિસ્ત્રી, સ્વપ્નિલ પંચાલ,ગૌરાંગ મિસ્ત્રી, જય કુમાર મિસ્ત્રીએ પરિવાર સાથે યજ્ઞ પૂજા વિધિ નો લાભ લીધો હતો. અને મહા આરતી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં સમાજ અગ્રણીઓ, વિશ્વકર્મા સંતાનો ઉપસ્થિત રહી દર્શન, પૂજન, મહાપ્રસાદનો લાભ લીધો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is