best news portal development company in india

ઝઘડિયા તાલુકામાં પશુ દવાખાનાઓમાં લોલમલોલ જેવી પરિસ્થિતિને લઈને પશુપાલકોને તકલીફ

SHARE:

– ઝઘડિયાના હનુમાન ફળિયામાં બે દિવસથી બિમાર થયેલ ગાયનું સમયસર સારવારના અભાવે મોત

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જીલ્લાના ઝઘડિયા નગર ખાતે હનુમાન ફળિયામાં બે દિવસથી બિમાર થયેલ એક ગાયનું સમયસર સારવાર ન મળવાને લઈને મોત થયું હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે મળતી વિગતો મુજબ ઝઘડિયાના હનુમાન ફળિયા ખાતે રહેતા વિપુલભાઈ પંડ્યાની એક ગાય બે દિવસથી બિમાર થઇ હતી.ગાયને સારવાર મળે તે માટે તેમણે પશુ દવાખાને ઘણીવાર કોલ કરવા છતાં મોટાભાગે કોલ રીસીવના થયા અને કેટલીકવાર યોગ્ય જવાબ મળ્યો નહતો. તેમના જણાવ્યા મુજબ તેઓ ઝઘડિયાના પશુ દવાખાને પણ ગયા હતા.પરંતું ત્યાં કોઈ જવાબદાર કર્મચારી મળ્યા ન હતા.આખરે બે દિવસથી બિમાર થયેલ ગાયનું સમયસર સારવાર ન મળવાના કારણે મોત થયું હતું.ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં આવેલ પશુ દવાખાનાઓમાં લોલમલોલ જેવી સ્થિતિ ચાલતી હોવાની બુમો લાંબા સમયથી ઉઠવા પામી છે.તેમજ કેટલાક સરકારી પશુપાલકો  ખાનગી પ્રેક્ટિસ કરતા હોવાની લોકચર્ચાઓ પણ ઉઠવા પામી છે.વળી પશુ સારવારનો થોડોક અનુભવ હોય તેવા કેટલાક બે નંબરીયા ઈસમો પણ ગામડાઓમાં જઇને પશુ સારવારનો ધંધો કરતા હોવાની  વ્યાપક લોકબુમો ઉઠવા પામી છે.

નોંધનીય છે કે ઝઘડિયા તાલુકો મહદઅંશે ગરીબ અને આદિવાસી વસતિ ધરાવતો તાલુકો છે. તાલુકામાં નાનામોટા ખેડૂતો પશુપાલન સાથે પણ સંકળાયેલા છે.પશુઓમાં આવતી નાનીમોટી બિમારીઓ ટાણે પશુઓને યોગ્ય અન્ય સમયસર સારવારની જરૂર હોય છે,l.ત્યારે તાલુકાના ગરીબ પશુપાલકોને નિશુલ્ક સરકારી પશુ ચિકિત્સાનો યોગ્ય લાભ સમયસર મળી રહે તે માટે ઉચ્ચ સ્તરેથી આ બાબતે યોગ્ય તપાસ કરીને ઘટતું કરવામાં  આવે તેવી લાગણી પશુપાલકોમાં સ્પષ્ટપણે દેખાય છે.ત્યારે જીલ્લા સ્તરેથી જવાબદાર અધિકારીઓ તાલુકાના પશુઓ અને પશુપાલકોના હિતમાં તાકીદે આ સંદર્ભે આગળ આવે તે ઈચ્છનીય છે.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!