best news portal development company in india

ઝઘડિયા તાલુકામાં નર્મદા નદી માંથી ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વિના ચાલતા વાહનો બંધ કરાવવા માંગ

SHARE:

– ઝઘડિયાના ભાજપા અગ્રણીએ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરી

– વર્ષોથી રાજપારડી તથા ઉમલ્લા બજારો માંથી ઓવરલોડ પાણી નીતળતી રેતીનું વહન થાય છે ત્યારે હમણાં જ કેમ રજૂઆત કરવામાં આવી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે

(જ્યશીલ પટેલ,ઝઘડીયા)

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકા માંથી વહેતી નર્મદા નદીના વિશાળ પટમાં લાંબા સમયથી રેત ખનન થાય છે.નર્મદાના પટ માંથી રેતી ભરીને દોડતા વાહનો પૈકી ઘણાં વાહનો ઓવરલોડ જથ્થો ભરીને અને રોયલ્ટી ભર્યા વિના જતા હોવાની વ્યાપક લોકચર્ચાઓ લાંબા સમયથી ઉઠવા પામી છે.ત્યારે ઝઘડિયા તાલુકાના ભાજપા અગ્રણી ભુપેન્દ્રસિંહ રાઠોડે આજરોજ ભરૂચ જિલ્લા કલેક્ટરને લેખિતમાં રજુઆત કરીને ઝઘડિયા તાલુકાના નર્મદા કાંઠા વિસ્તારના ટોઠીદરા તરસાલી પંથકમાં નર્મદા માંથી રેતી ભરીને આવતા ઓવરલોડ અને રોયલ્ટી ભર્યા વિના પસાર થતાં વાહનો બંધ કરાવવા માંગ કરી હતી.તેમણે કરેલ લેખિત રજુઆતમાં જણાવાયા મુજબ રેતીવાહક વાહનો ખુબ મોટી સંખ્યામાં રાજપારડી વિસ્તાર માંથી અવરજવર કરે છે.સાંકડા રસ્તાને કારણે કોઈવાર અકસ્માત થવાની દહેશત પણ રહેલી છે.ઉપરાંત ઘણાં રેતી વાહક વાહનો નિયમોનું ઉલ્લંઘન કરીને ઓવરલોડ જથ્થો ભરીને તેમજ રોયલ્ટી ચોરી કરીને આવજાવ કરતા હોવાનો પણ રજુઆતમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો.વધુમાં જણાવાયું હતું કે આ બાબતે ખાણ ખનિજ વિભાગ અને આરટીઓ દ્વારા આ પંથકમાં ચેક પોસ્ટ બનાવવામાં આવે તો નિયમ ભંગ કરતા વાહનો બંધ થઈ શકે.

ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકા માંથી પસાર થતી નર્મદા નદી માંથી ભાલોદ પંથકના ટોઠીદરા તરસાલી તેમજ પાણેથા વેલુગામ પંથકમાં લાંબા સમયથી મોટાપાયે રેત ખનન થાય છે.ભીની પાણી નીતરતી રેતીના કારણે રસ્તાઓને પણ નુકશાન થતું હોય છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા નર્મદા કાંઠાના તરસાલી ટોઠીદરા વેલુગામ પાણેથા ઈન્દોર નાનાવાસણા મોટા વાસણા ગામેથી ખૂબ મોટાપાયે ગેરકાયદેસર રીતે રેતી ખનન થાય છે, ત્યારે આ તમામ રેતીના લીઝ સંચાલકોનો ગેરકાનૂની વહીવટ ભાજપાના જ ઝઘડિયા તાલુકાના પદાધિકારીઓ અને ભાજપના જ અગ્રણીઓ કરી રહ્યા છે ત્યારે હાલમાં જ કેમ રાજપારડીના ભુપેન્દ્રસિંહ રાઠોડને આ ગેરકાયદેસર રેતી ખનન બાબતે રજૂઆત કરવાનું ભૂત ધૂણ્યું તે સમજાતું નથી! કારણ કે ઝઘડિયા પંથકના નર્મદા કાંઠા વિસ્તારની જેટલું રેતી ખનન થાય છે તે બધું જ તેમના નજીકના પદાધિકારીઓના મેરાપીપણામાં જ થાય છે ત્યારે કેમ હમણાં જ રજૂઆત કરવાનું સમજાયું ! શું કોઈના ઈશારે ભુપેન્દ્રસિંહ રાઠોડ એ જિલ્લા કલેકટરને રજૂઆત કરી છે? વિગેરે બાબતોમાં ઝઘડિયા પંથકની જનતાને સમજાતું નથી!પ્લેટ

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!