(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
આજરોજ ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા રાજપીપલા ખાતે કલેકટર કચેરીએ ધરણા પર બેસી જતા તંત્ર આજે હરકતમાં આવી ગયું હતું.ડેડીયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ ના આયોજન, નર્મદા પ્રભારી મંત્રી દ્વારા ગેરરીતી કરવા બાબતે જણાવ્યું હતું કે ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ નર્મદાના આયોજન અંગેની નર્મદા જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક ભીખુસિંહ ચતુરસિંહ પરમાર, અધ્યક્ષ જિલ્લા આદિજાતી વિકાસ મંડળ અને નર્મદા જિલ્લા પ્રભારી મંત્રી ના અધ્યક્ષ સ્થાને તા. ૧૨/૧૨/૨૦૨૪ નાં રોજ બપોર ના ૩ કલાકે કોન્ફરન્સ હોલ કલેકટરની કચેરી નર્મદા ખાતે મળેલ હતી.
ગુજરાત પેટર્ન યોજના વર્ષ ૨૦૨૪-૨૫ ના નાણાકીય વર્ષ માં નર્મદા જિલ્લાના લોકોના સુખાકારી માટે૩૦૬૮ લાખની જોગવાઈ કરવામાં આવેલ છે.આ યોજના ના સદર સરકાર ના તા.૦૮/૦૫/૨૦૧૨ તથા તેને આનુષંગિક તા. ૧૦/૧૦/૨૦૨૪ ના સુધારેલા ઠરાવોની જોગવાઈઓ અનુસાર આ યોજના અમલ હેતુસર નર્મદા જિલ્લાની તાલુકા કક્ષાએ તાલુકા આદિજાતી વિકાસ સમિતિ દેડીયાપાડા અને સાગબારા ની તા. ૨૮/૧૧/૨૦૨૪ ના રોજ મળેલ જેમાં નિયુક્ત સભ્યો સર્વ સંમતિથી મર્યાદાઓમાં આવરી સબંધિત અમલીકરણ અધિકારીઓ ને રજુકરવામાં આવેલ હતું અને જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠકમાં બહાલી અર્થે રજુ કરી ચર્ચાઓને અંતે સર્વ સંમતિથી મંજુરીની આગળની કાર્યવાહીઓ હાથ ધરવા જિલ્લા આદિજાતી વિકાસ મંડળ માં સર્વાનુમતે ઠરાવ્યું હતું.
પરંતુ આ આયોજનમાં પ્રભારી મંત્રી તથા કેટલીક બહારની એજન્સીઓ આ ફાઈલો ઘરે મંગાવી, પોતાની રીતે ૧૦ કરોડ થી પણ વધુ રકમનું બિન જરૂરી બારોબાર આયોજન કરી દીધેલ છે અને અમલીકરણ અધિકારીઓપર દબાણ લાવી દરખાસ્તો તૈયાર કરાવેલ છે,જેની તપાસ કરાવવા અને આ આયોજન ફરી જિલ્લા આદિજાતી વિકાસ મંડળની બેઠક બોલાવવા મારી માંગ છે.આજ રીતે અંબાજી થી ઉમરગામની ટ્રાઈબલ સબપ્લાનની તમામ ગ્રાન્ટોમાં પ્રભારી મંત્રીઓએ બહારની એજન્સી ઓના ઈશારે કરોડોનો ભ્રષ્ટ્રાચાર કરે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is