(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ
રાજપીપલા નગરમાં સ્વછતા જાગૃતિ અભિયાન અંતર્ગત શેરી નાટકો ભજવાઈ રહ્યા છે.નગરના જાહેર માર્ગ પર શેરી નાટકના માધ્યમથી સ્વચ્છ શેરી નગરને સ્વચ્છ બનાવાનું નાટક લોક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.
સ્વચ્છ ભારત મિશન અર્બન હેઠળ ગુજરાત સરકાર અને શહેરી વિકાસ ગૃહ નિર્માણ વિભાગ સ્વચ્છ ભારત મિશન અર્બન ગાંધીનગરના ઉપક્રમે દરેક નગરપાલિકાઓની અંદર સ્વચ્છતાને લગતા શેરી નાટકોનના જાહેર આ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે.જેમાં સ્વચ્છતા અંગે લોકોમાં જાગૃતિ આવે, સ્વછતા અંગેની લોકોમાં સમજ આવે, લોકો સ્વછતાનો આગ્રહ રાખતા થાય એ માટે રાજપીપળાના જુદા જુદા જાહેર વિસ્તારો જેવા કે સફેદ ટાવર પાસે,વિજય ચોક પાસે,ગાર્ડન પાસે, બસ ડેપો જેવા જાહેર સ્થળોએ શેરી નાટકો યોજવામાં આવી રહ્યા છે.જે લોક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે.લોકોને શેરી નાટક દ્વારા સ્વચ્છતાના શું ફાયદા છે સ્વચ્છતાના રાખે તો શું નુકસાન થાય તેનું મહત્વ સમજાવતા શેરી નાટકના માધ્યમથી નગરજનોને સ્વછતાનું મહત્વ સમજાવી રહ્યાં છે.જેની અસર લોકોમાં જોવા મળી હતી લોકોએ પણ જાગૃતિના કાર્યક્રમને આવકાર્યો હતો.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is