best news portal development company in india

નેત્રંગ નગરમાં ચાલુ કામકાજના દિવસે વિજકાપ આપવામાં આવતા લોકો હેરાન પરેશાન

SHARE:

– વિજ પુરવઠાના અભાવે સરકારી કચેરીઓમાં બેથી ત્રણ કલાક કામગીરી બંધ રહેતા.તાલુકાના ગ્રામ્ય વિસ્તારના લોકોના કામો અટવાટા રોષ
(વિજય વસાવા,નેત્રંગ)
દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્રારા નેત્રંગ નગરમા શનિવારના બદલે ચાલુ કામકાજના દિવસોમાં સવારથી લઈને બપોર સુધી પાંચ કલાકનો વિજ કાપ આપવામા આવતા લોકો હેરાનપરેશાન થઈ ગયા હતા.
નેત્રંગ નગર સહિત પંથક ભરમા દક્ષિણ ગુજરાત વીજ કંપની ને વીજ પુરવઠો બંધ રાખીને વીજ લાઈનની મરામત થી લઈને અન્ય કોઈ પણ પ્રકારની કામગીરી કરવાની હોય તો.સરકારી કામકાજના દિવસો છોડીને વીજ પુરવઠો બંધ કરીને કામગીરી મહીના બીજા અને ચોથા શનિવારના રોજ કરવામાં આવતી હતી.જેને લઈને તાલુકાના ૭૮ ગામની ગરીબ પ્રજાને તાલુકા મથક ખાતે આવેલ સરકારી ઓફીસોમા બેંકોમા ચાલતી ઓનલાઈન કામગીરી કરાવવાની કોઈ તકલીફના પડે અને ગ્રામ્ય વિસ્તાર માંથી પોતાનુ કામકાજ છોડીને આવતા લોકોને ધરમધકકા ખાવાના પડે તેનુ દયાન રાખવામાં આવતુ હતુ.
વીજ કંપની થકી નગરમા ૧૭ ને સોમવારના રોજ સવાર ના ૭.૪૫ કલાકથી લઈને બપોરના ૧૨ થી ૧ વાગ્યા સુધીનો વીજ કાપ આપવામા આવતા નગર સહિતની ગ્રામ્ય વિસ્તારની પ્રજા હેરાન પરેશાન થઈ ઉઠી હતી.બે થી ત્રણ કલાક સુધી સરકારી કચેરીઓમા કામકાજ થપ થઈ જતા.ગ્રામ્ય વિસ્તાર માંથી વહેલી સવાર ના આવતા લોકોને ભુખ્યા તરસ્યા રહીને તકલીફ વેઠી હતી.વીજ કાપના કારણે નેત્રંગ ગ્રામપંચાયત વારીગુહ થકી આપવામાં આવતો પાણીના પુરવઠાની વિતરણ વેવસ્થા ખોરવાઈ જતા પાણી સમયસર નહિ મળતા ગુહીણીઓ હેરાનપરેશાન થઈ ગઈ હતી અને વીજ કંપનીના અધિકારીઓ સામે છુપો રોષ વ્યક્ત કરી રહી હતી.વીજ કંપનીના નેત્રંગ કચેરીના જવાબદાર અધિકારીઓ ચાલુ સરકારી કામકાજના દિવસોમાં કઈ એવી મહત્વની કામગીરી આવી ગઈ કે વીજ પુરવઠો પાંચ પાંચ કલાક સુધી બંધ રાખવાની નોબત આવી ગઈ ?
નેત્રંગ નગરમા વીજ કંપની દ્રારા ચાલુ કામકાજ ના દિવસોમા વીજ પુરવઠો બંધ રાખી વિજ પોલ નાંખવાની કામગીરી કરતા તાલુકાની પ્રજાના બે-ત્રણ કલાક સુધી કામકાજો અટવાટા તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો હતો.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!