– ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથધર્યું : ટૂંકા ગાળામાં ત્રીજી વાર ભંગાણ સર્જાયું
ભરૂચ,
અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.ગેસ કંપની દ્વારા યુદ્ધના ધોરણે સમારકામની કામગીરી હાથ ધરાઈ હતી.જોકે ટૂંકા ગાળામાં satt ત્રીજી વાર લાઈનમાં ભંગાણ સર્જાતા અનેક ચર્ચાઓ જાગી છે.
અંકલેશ્વર જીઆઈડીસીમાં ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જવાનો સિલસિલો યથાવત રહ્યો છે.આજરોજ અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલ નોટિફાઈડ એરીયા ઓથોરીટીની કચેરી નજીક ખોદકામ ચાલી રહ્યું હતું તે દરમ્યાન અચાનક જ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું જેના કારણે લાઈનમાંથી ગેસ વછૂટ્યો હતો.આ અંગેની જાણ કરાતાની સાથે જ ડી.પી.એમ.સીના ફાયર ફાઈટર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તો બીજી તરફ ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓએ પણ દોડી આવી યુદ્ધના ધોરણે સમારકામ હાથધર્યું હતુ.અંકલેશ્વર જીઆઇડીસીમાં ખોદકામ દરમિયાન વારંવાર ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાય છે જેના કારણે ગેસ પુરવઠો બાધિત બને છે.અત્રે ઉલ્લેખનીય છે કે તારીખ ૯ મી ફેબ્રુઆરીના રોજ જીઆઈડીસીની ગોલ્ડન ચોકડી નજીક પણ ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું તો તે અગાઉ ૨૨ મી જાન્યુઆરીના રોજ પણ ચાણક્ય વિદ્યાલય નજીક ગુજરાત ગેસની લાઈનમાં ભંગાણ સર્જાતા દોડધામ મચી જવા પામી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is