(જ્યશીલ પટેલ,ઝઘડીયા)
વિદ્યાર્થીઓમાં પરિક્ષાનો ડર દુર થાય અને ભય મુક્ત માહોલ વચ્ચે મુક્ત મને પરિક્ષા આપી શકે તે અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
ભરૂચ જીલ્લાના ઝઘડિયા સ્થિત સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કુલ ખાતે ઝઘડિયા પોલીસ દ્વારા આગામી ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરિક્ષામાં બેસનાર વિદ્યાર્થીઓ ભયમુક્ત થઈને મુક્ત મને પરીક્ષા આપી શકે તે માટે કાઉન્સેલીંગ કરવામાં આવ્યું તેમજ કેરિયરલક્ષી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આયોજિત કાર્યક્રમમાં ઝઘડિયા પીઆઈ એન.આર.ચૌધરી,શાળાના આચાર્ય કૌશિક વસાવા,અન્ય પોલીસ સ્ટાફ,શિક્ષકો તેમજ બોર્ડ પરિક્ષા આપનાર વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is