best news portal development company in india

જંબુસર તાલુકામાં અકસ્માતે મૃત્યુ પામનાર ૧૧ લોકોના પરિવારજનોને મુખ્યમંત્રી આકસ્મિક સહાય યોજના માંથી ૪૪ લાખની સહાય

SHARE:

(સંજય પટેલ,જંબુસર)

જંબુસર તાલુકામાં અકસ્માતે મૃત્યુ પામનાર મૃતકના પરિવારોને મુખ્યમંત્રી આકસ્મિક સહાય યોજના માંથી ૪૪ લાખ રૂપિયાની સહાયના ચેક જંબુસર મત વિસ્તારના ધારાસભ્ય દેવકિશોર સ્વામિના હસ્તે વિતરણ કરાયા હતા.

જંબુસરના મગણાદ ગામે ગોઝારા અકસ્માતમાં ૮ વ્યક્તિઓના કરુણ મોત નીપજ્યાં હતા.તથા ૧ નું કરંટ લાગવાથી મોત થયું હતું.તથા ૨ વ્યક્તિઓના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયા હતા.આ તમામ મૃતકોના પરિવારજનોને સરકાર તરફથી મળતી સહાય અંગે ધારાસભ્ય જંબુસર મત વિસ્તાર ડી કે સ્વામીએ રજૂઆતો કરી હતી.જે મુખ્યમંત્રી રાહત ફંડ માંથી સહાય મંજુર થતા આજરોજ જંબુસર મામલતદાર કચેરી ખાતે સહાય ચેક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

મરણ પામેલ વ્યક્તિના પરિવારજનોને મુખ્યમંત્રી રાહત ફંડ માંથી મંજૂર કરવામાં આવેલ વ્યક્તિ દીઠ ચાર લાખ રૂપિયા મળી ૧૧ વ્યક્તિના ૪૪ લાખ રૂપિયાના આર્થિક સહાય પેટે ચેક વિતરણ જંબુસર ધારાસભ્યના હસ્તે જંબુસર મામલતદાર કચેરી ખાતે વિતરણ કરવામાં આવ્યા હતા.જેમાં જંબુસર શહેર પ્રમુખ મનન પટેલ, તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ,મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, તાલુકા પંચાયત પ્રમુખ નીતિન પટેલ સહિત હોદ્દેદારો અગ્રણીઓ અને ગ્રામ સરપંચો સહિત હાજર રહ્યા હતા.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!