– સુરત, વડોદરા,દાહોદ,અંકલેશ્વર તરફ ૬ જેટલી વધારાની એસટી બસની ટ્રીપો દોડાવાઈ : રાજપીપળા એસટી ડેપો પર મુસાફરોનો ભારે ધસારો
(જ્યોતિ જગતાપ,રાજપીપલા)
હોળી ધુળેટી પર્વે માદરે વતન પાછા કરતા આદિવાસીઓ માટે રાજપીપળા એસટી ડેપો દ્વારા વધારાની એસટી બસની ટ્રીપોનું ખાસ સંચાલન કરાયું છે જેમાં સુરત, વડોદરા,દાહોદ,અંકલેશ્વર તરફ ૬ જેટલી વધારાની એસટી બસની ટ્રીપો દોડાવાઈ છે હાલ હોળી પર્વે રાજપીપળા એસટી ડેપો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે.
હોળી ધુળેટીએ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાય છે.ખાસ કરીને હોળીએ આદિવાસીઓનો મુખ્ય તહેવાર ગણાતો હોવાથી હોળી મનાવવા મજૂરી કરવા માટે પર પ્રાંત માંથી માદરે વતન જવા આવવા માટે આદિવાસીઓ ગઈ કાલથી બસની મુસાફરી કરી રહ્યાં છે.જે અનુસંધાને રાજપીપલા એસટી ડેપો દ્વારા ખાસ કરીને દક્ષિણ ગુજરાત વિસ્તારમાં ૫ થી ૬ જેટલી વધારાની બસો દોડાવવામાં આવી રહી છે.આ અંગે રાજપીપલા એસટી ડેપો મેનેજર કે એચ નાઈક ના જણાવ્યા અનુસાર હોળી ધુળેટી પર્વે રાજપીપળા એસટી ડેપો માંથી સુરત અંકલેશ્વર વડોદરા દાહોદ તરફ પ થી ૬ જેટલી વધારાની ટ્રીપો દોડાવવા ઓમાં આવી રહી છે.હોળી પર આદિવાસીઓ મોટી સંખ્યામાં માદરે વતનમાં પાછા ફરતા હોય છે.તને રાજપીપળા એસટી ડેપોમાં આદિવાસીઓ પોતાના માર્ગરે વતન પહોંચી શકે તે માટે ખાસ વધારાની બસ ડેપોમાં આયોજન કરવામાં આવ્યું છે.
આ અંગે એસટી ડેપો મેનેજર કે એચ નાયીના જણાવ્યા અનુસાર રાજપીપળા એસટી ડેપો દ્વારા પણ દાહોદ,સુરત, અંકલેશ્વર, વડોદરા તરફ જવા માટે વધારાની 6 જેટલી ટ્રીપોનું સંચાલન કરવામાં આવ્યું છે.ઉપરાંત સંજેલી, લુણાવાડા, ફતેપુરા,વડોદરા તરફ પણ ગઈકાલથી વધારાની 6 ટ્રીપો દોડાવવામાં આવી રહી છે.આજે પણ સુરત,વડોદરા,દાહોદ તરફ વધારાની પાંચ ટ્રીપો દોડાવાઈ રહી છે.મુસાફરો હોળી પર્વ સારી રીતે મનાવી શકે અને સમયસર પોતાના વતન પહોંચી શકે તે માટે એસટી ડેપો દ્વારા વધારાની બસોની સુવિધાઓ ઉભી કરાતા આદિવાસીઓમાં અને મુસાફર જનતામાં આનંદની લાગણી ફેલાઈ છે.
Follow Social Media Platform https://qr.link/wcpMXt

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is