આમોદ,
આમોદ તાલુકાના દાંદા ગામે BAPS સ્વામિનારાયણ મંદિરનો સાતમો પાટોત્સવ, ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો.જેમાં પૂ. સંત શ્રી ભાગ્યસેતુ સ્વામી (કોઠારી સ્વામી – અટલાદરા), સાધુ શ્રી જ્ઞાનવીરદાસ, સાધુ શ્રી યશોનીલદાસજીએ આશીર્વાદ આપ્યા હતા.આ પ્રસંગે દાંદા ગામના હરિભક્તો હરેશભાઈ, ઘનશ્યામભાઈ, મહેશભાઈના પરિવારજનો સહિત સમગ્ર ગામજનો દ્વારા ઉત્સાહ,ઉમંગ અને ભક્તિમય વાતાવરણમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.પાટોત્સવમાં ભરૂચ,વડોદરા અને આજુબાજુના હરિભક્તોએ તાજા જામફળના રસ અને શાકોત્સવનો પણ લાભ લીધો હતો.
પોતાના આશીર્વચનમાં કોઠારી સ્વામીએ પાટોત્સવ,શાકોત્સવ અને રંગોત્સવના ત્રિવેણી સમન્વયે ભગવાન સ્વામિનારાયણના જીવન પ્રસંગોનું સુંદર વર્ણન કર્યુ હતું અને સૌને રંગોત્સવની શુભેચ્છાઓ પાઠવી આશીર્વચન આપ્યા હતા.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is