best news portal development company in india

નર્મદા મૈયા બ્રિજ પરથી યુવકે મોતની છલાંગ લગાવતા માછીમારોએ બચાવ્યો જીવ

SHARE:

– પતિ અને પત્નીના ઝઘડામાં પતિએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું

ભરૂચ,

નર્મદા નદી પરના ભરૂચ – અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી ભરૂચના કુકરવાડા વિસ્તારના એક યુવકે પત્નીની હાજરીમાં જ બ્રિજ પરથી નદીમાં છલાંગ લગાવી મોતને વ્હાલું કર્યું હતું.જોકે સદ્દનસીબે માછીમારોએ તેનો જીવ બચાવી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના કુકરવાડા વિસ્તારના એક યુવકે સોમવારની સવારે પત્નીની હાજરીમાં જ નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવતા નદીમાં માછીમારી કરી રહેલા માછીમારોએ યુવકને પડતો જોયો.તેમણે તત્કાલ યુવકનો જીવ બચાવી લીધો.ઘટનાની જાણ થતાં જ એમ્બ્યુલન્સ અને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો.યુવકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે પતિ-પત્ની વચ્ચે થયેલા ઝઘડાના કારણે યુવકે આ પગલું ભર્યું હતું.જોકે સદ્દનસીબે તેનો જીવ બચી જવા પામ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા મૈયા બ્રિજ પર વધતા જતા આપઘાતના બનાવોને રોકવા સ્થાનિકો બ્રિજની બંને બાજુ સુરક્ષા જાળી લગાવવાની માંગ વારંવાર કરી રહ્યા છે.પરંતુ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી.જેના કારણે આપઘાતના બનાવોમાં વધારો નોંધાઈ રહ્યો છે.ત્યારે તંત્રએ પણ બ્રીજની બંને બાજુ સુરક્ષા જાળી લગાવવામાં આવે તે જરૂરી છે.નહિતર મોતના આંકડામાં વધારો થાય તો નવાઈ નહીં.

BNI News
Author: BNI News

Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is

Leave a Comment

error: Content is protected !!