ભરૂચ,
ભારતના સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રીયલ સિક્યુરીટી ફોર્સને ૧૦ માર્ચના રોજ ૫૬ વર્ષ પૂર્ણ થતાં એક નવી પહેલ સાથે સીઆઈએસએફ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અંતર્ગત “સુરક્ષિત તટ, સમૃદ્ધ ભારત” થીમ અન્વયે સાયકલ રેલીનો ૭મી માર્ચના રોજ ભારત સરકારના ગૃહ મંત્રી અને સહકાર મંત્રી અમિત શાહ દ્વારા વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો.જેમાં એક ગ્રુપ જે ગુજરાતના કચ્છ લખપતથી અને બીજું ગ્રુપ જે પશ્ચિમ બંગાળના બખ્ખાલી થી કુલ ૧૨૫ સીઆઇએફ ના કર્મચારીઓ જેમાં ૧૪ સાહસીક મહિલાઓએ ભાગ લીધો છે.જે અંદાજિત ૬૫૩૫ કિલોમીટર ભારતના દરિયાઈ કિનારાના વિસ્તારનું અંતર કાપશે.લખપતથી નીકળેલા ૭૫ સીઆઇએસએફ કર્મચારીઓ જેમાં ચાર સાહસીક મહિલાઓ તા.૧૬મી માર્ચના રોજ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામે સાયકલ યાત્રિકો આવી પહોંચ્યા હતા.જે ૧૭મી માર્ચના રોજ વહેલી સવારે સાઈકલ યાત્રા કારેલી થી નીકળી જંબુસર સરકીટ હાઉસ થઈ નાહીયેર ગુરૂકુલ ખાતે આવી પહોંચી હતી.ત્યાંથી સાયકલ યાત્રા આગળ વધતાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસા ખાતે સાયકલ યાત્રા આવી પહોંચી હતી.ત્યાં અસ્મિતા વિકાસ કેન્દ્ર ત્રાલસાના મનોદિવ્યાંગ બાળકોએ પુષ્પવર્ષા કરી સાયકલ યાત્રિકોનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. ત્યાથી ભરૂચમાં એબીસી સર્કલથી એન્ટર થઈ નર્મદા નદીના કીનારે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું. આગળ વધતા આ સાઈકલયાત્રા કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ – અંકલેશ્વર” ખાતે પહોચી હતી. તેમણે ત્યાં વૃક્ષો વાવી ગ્રીન –ઈન્ડીયાની હીમાયત પણ કરી હતી.
અંતે તુલસી સ્કેવર અંકલેશ્વરમાં શાળાના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ કાર્યક્રમમાં નગરજનો અને પદાધિકારીઓએ તેઓનો ઉત્સાહ વધારવા ઉપસ્થિત રહ્યા હતા. આ યાત્રા અંકલેશ્વરથી વિદાઈ લઈ હાંસોટ થઈ સુરત જવા રવાના થઈ હતી.
ઉલ્લેખનીય છે કે, આ સાયકલ રેલીના બે પ્રારંભિક બિંદુઓ ગુજરાતના લખપત અને પશ્ચિમ બંગાળના બક્કાલીથી શરૂ કરીને કન્યાકુમારી સુધી અંદાજે તટીય વિસ્તારનું આશરે ૬૫૩૫ કિ.મી.નું અંતર કાપવામાં આવશે.જેમાં અનેક પડકારોનો સામના સાથે ૧૪ મહિલાઓ સહિત કુલ ૧૨૫ સીઆઈએસએફ ના જવાનો ૨૫ દિવસની યાત્રા કરશે.આ સાયકલ રેલી ભારતના મુંબઈ, ગોવા, મેંગ્લોર, કોચી, હલ્દિયા, કોણાર્ક, વિઝાગ, ચેન્નાઈ, પોંડિચેરી સહિતના મુખ્ય દરિયાકાંઠાના શહેરો માંથી પસાર થશે.તેમજ ૩૧ માર્ચ ૨૦૨૫ના રોજ કન્યાકુમારીમાં સ્વામી વિવેકાનંદ સ્મારક ખાતે રેલીનું સમાપન થશે.
કેન્દ્ર સરકાર હેઠળના ઔદ્યોગિક એકમોની સલામતી માટે રચવામાં આવેલું ખાસ દળ એટલે “કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ”. તા.૧૦ માર્ચ ૧૯૬૯ના રોજ “કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળ” (CISF)ની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં પોલાદનાં કારખાનાં, કોલસાની ખાણો, તેલ-શુદ્ધીકરણ માટેનાં કારખાનાં, વીજળી (ઉત્પન્ન કરતાં) મથકો, બંધો, એરપોર્ટ, દરિયાઈ બંદરો, પરમાણુ અને અંતરિક્ષ અનુસંધાન કેન્દ્રો,સરકારી ભવનો તથા અન્ય સંવેદનશીલ સંસ્થાઓની સુરક્ષા સીઆઈએસએફ કરે છે.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is