ભરૂચ,
હોળી – ધુળેટીના તહેવારને શ્રમિકો પોતાના વાતને જતા હોય જેને ધ્યાને લઈ ભરૂચ એસટી વિભાગ દ્વારા ત્રણ દિવસમાં ૯૨ જેટલી એક્સ્ટ્રા બસોનું સંચાલન કરતા ૬૦૦૦ જેટલા મુસાફરોએ મુસાફરી કરતા એસટી વિભાગને ૧૩.૫૦ લાખની આવક થવા પામી હતી.
હોળી – ધુળેટીના તહેવારને ધ્યાને લઈ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ભરૂચ એસટી વિભાગના ભરૂચ ડેપો દ્વારા એક્સ્ટ્રા સંચાલનનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું.જેમાં દાહોદ,પંચમહાલ અને ગોધરા તરફના શ્રમયોગીઓને પોતાના વતન તરફ જવા માટે એક્સ્ટ્રા બસોની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવેલ હતી.ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે વિભાગ દ્વારા ખૂબ જ સારું સંચાલન થવા પામેલ છે.ગત વર્ષના સંચાલકીય પરિણામો જોતા ગત વર્ષે ૭૮ વાહનો થકી એક્સ્ટ્રા સંચાલન કરવામાં આવેલ હતું.જે ચાલુ વર્ષે ૯૨ વાહન થકી એક્સ્ટ્રા સંચાલન થવા પામેલ.જેમાં ગત વર્ષે મેળવેલ ૧૧.૫ લાખ આવકની સામે ચાલુ વર્ષે ૧૩.૫૦ લાખ એટલે કે ગત વર્ષની સરખામણીએ ૨ લાખ વધુ આવક થવા પામેલ હતી.જેના થકી મુસાફરોમાં પણ વધારો થવા પામેલ હતો અને ૬૦૦૦ મુસાફરોનું વહન કરેલ હતું.જેમાં આ વર્ષે ૮૦૦ મુસાફરોનો વધારો થવા પામેલ હતો.આમ શ્રમયોગીઓ દ્વારા એસટી નિગમની પરિવહન સેવાનો ખૂબ સારો લાભ લેવામાં આવેલ હોય તેમ ભરૂચ એસટી ડેપના મેનેજર વિશાલ છત્રીવાલાએ જણાવ્યું હતું.
આમ શ્રમયોગીઓ દ્વારા એસટીની સુવિધાનો લાભ લેતા એસટી કર્મચારીઓની કામગીરીને પણ ખૂબ સારી રીતે બિરદાવતા શ્રમયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો અને આગામી સમયમાં પણ આ જ રીતે એસટી પરિવહન સેવાનો તેઓ દ્વારા વધુમાં વધુ લાભ લેવામાં આવે અને જેના થકી તેઓને ખૂબ સારી સેવા પૂરી પાડી શકાય એવી આશા પણ વ્યક્ત કરવામાં આવી હતી.

Author: BNI News
Tried to reach people by sharing on various social media platforms FACEBOOK, TWITTER, INSTAGRAM, TELEGRAM and WHATSAPP GROUP is